વલસાડ તાલુકાનાં ડુંગરી ગામમાં સતત ચાર દિવસ સુધી આદિવાસી સમાજના લોકોને કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-૧૯ વેક્સિન મુકાવવા સામાજિક કાર્યકરોએ અભિયાન ઉઠાવ્યું હતું. આદિવાસીઓમાં રહેલી વેક્સિન બાબતની ગેરસમજ દૂર કરી વેક્સિન મુકાવવા તૈયાર કર્યા હતા. ડુંગરી શ્રીરામજી મંદિર હોલ તેમજ પૂર્વ વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબક્કા વાર સતત ચાર દિવસ સુધી વેક્સિન કેમ્પ યોજાયા હતા. જેમાં ઓનલાઈન સહિત કુલ ૯૦૦ જેટલા લોકોએ રસીકરણ કરાવ્યું હતું. આ વેક્સિન સેવાયજ્ઞ અભિયાનમાં ડુંગરીના કાર્યકર અસીત દેસાઈ, માજી સરપંચ મહેશ પટેલ, માજી સરપંચ પંકજ ઉર્ફે લાલાભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય સોનલ પટેલ, અગ્રણી ઉમેશ પટેલ સહીત અન્ય અગ્રણીઓએ સેવા આપી હતી. આ કેમ્પમાં સૌથી વધુ આદિવાસી સમાજના લોકોએ રસી મુકાવી હતી.
Related Articles
વલસાડમાં જુદી જુદી પેટા ચૂંટણીની જાહેરાત
રાજ્યના ચૂંટણીપંચ દ્વારા પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી જગ્યા માટે મધ્યસ્થ ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં વલસાડ નગરપાલિકામાં ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જેના પગલે પાલિકામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ પાલિકાના વોર્ડ નં.1 ના સભ્ય ઉજેશ પટેલ, વોર્ડ નં..5ના સભ્ય પ્રવીણ […]
વલસાડના પારડીમાં ડ્રેનેજનું કામ અંતે શરૂ
વલસાડ નગરપાલિકાના વોર્ડ નં. 2 અને 5માં ચારેબાજુ ફેલાતા ગંદા પાણીના ગંભીર પ્રશ્ન અંગે આ વિસ્તારના આગેવાન રાજુભાઇ મરચા, સભ્ય ઉર્વશીબેન તથા નાગરીકોએ પાલિકામાં મોરચો લઇ જઇ જેલ ભરો આંદોલનનું એલાન કર્યુ હતું. જે અંગે વિપક્ષ નેતા ગિરીશ દેસાઇ, ઝાકીર પઠાણે સતત બે દિવસ ચીફ ઓફીસર, એન્જિનિયર તથા હોદોદારો સાથે વિગતે ચર્ચા કરી ગંદા પાણીને […]
કપરાડાના કરજુનનો લાંચિયો સરપંચ સસ્પેન્ડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામના સરપંચ ભરત રાઉતને રોડ કોન્ટ્રાકટર પાસેથી રૂ 48000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. જેને આજે ગુજરાત પચાયત અધિનિયમ હેઠળ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચપદેથી ફરજ મોકૂફ કરતો હુકમ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામમાં કોન્ટ્રાકટરે રોડનું કામ પૂર્ણ કર્યું હતું, પરંતુ સરપંચ ભરત […]