ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ દ્વારા આજથી સુરતથી દિલ્હીની 2 અને સુરતથી કોલકાત્તા તથા બેંગ્લોરની 1-1 ફલાઇટ શરૂ કરવામાં આવી છે. આજે સવારે દિલ્હીની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર આવી પહોંચતા વોટર કેનન સેરેમનીથી આ ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતથી ઉપડેલી પ્રથમ ફ્લાઇટને સુરત એરપોર્ટના પ્રથમ મહિલા સ્ટેશન ડાયરેક્ટર અમન સૈનીએ લીલી ઝંડી દર્શાવી હતી. આ પ્રસંગે ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે ગો-એરલાઇન્સ ગ્રુપની કંપની ગો ફર્સ્ટ નવા સ્ટેશનના નેટવર્ક મજબુત કરી રહી છે. ગ્રાહકોને મેટ્રો શહેરો સાથે સુરત જેવા આર્થિક જાહોજલાલીથી ધમધમતા શહેર સાથે જોડી રહી છે. એરલાઇન્સ નવા ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સેક્ટરમાં પ્રવેશ કરવા ઇચ્છુક છે. આજે ઉદ્દઘાટકન સમારોહમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, એવીએશન કમિટિના ચેરમેન અતુલ ગુપ્તા, ગો ફર્સ્ટના મનોજ કુમાર શર્મા (રિજીયોનલ એરપોર્ટ મેનેજર-સાઉથ /વેસ્ટ ઇન્ડિયા એરપોર્ટ), અનિરભ ઘોષ (રિજીયોનલ જનરલ મેનેજર-વેસ્ટ), મનોજ શર્મા (ગુજરાત સેલ્સ મેનેજર) અને વિનોદ રૈના (સ્ટેશન મેનેજર – સુરત) ઉપસ્થિત રહ્યા હતા.ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા વર્ષ ર૦૧પથી ગો ફર્સ્ટ (ગો એર)ને સુરત લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકડાઉનના બે વર્ષ પહેલા પણ ચેમ્બરના જે તે સમયના પદાધિકારીઓએ મુંબઇ ખાતે ગો ફર્સ્ટના અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી અને તેઓને ડોમેસ્ટીક એરલાઇન્સને સુરત લાવવા માટે રજૂઆત કરી હતી. ગો ફર્સ્ટના અધિકારીઓ સાથે ચેમ્બરમાં પણ ઘણી વખત મિટીંગો યોજાઇ હતી. ગો ફર્સ્ટની દિલ્હીથી મોર્નિંગ ફલાઇટ સવારે ૦૭:૪૦ કલાકે ઉપડશે અને સુરત ખાતે સવારે ૦૯:૩૦ કલાકે આવશે. ત્યારબાદ સુરતથી સવારે ૧૦:૦૦ કલાકે ટેકઓફ થઇ દિલ્હી ખાતે સવારે ૧૧:૪પ કલાકે પહોંચશે. કોલકાત્તાની ફલાઇટ સવારે ૧૦:૩૦ કલાકે ઉપડશે અને સુરત ખાતે બપોરે ૦૧:૪૦ કલાકે આવશે અને ત્યારબાદ સુરતથી બપોરે ૦રઃ૧૦ કલાકે ટેકઓફ થઇ સાંજે ૦૪:૪પ કલાકે કોલકાત્તા પહોંચશે. બેંગ્લોરની ફ્લાઇટ બપોરે ૦૩:૩૦ કલાકે ઉપડશે અને સુરત ખાતે સાંજે ૦પઃ૪૦ કલાકે આવશે અને ત્યારબાદ સુરતથી સાંજે ૦૬:૧૦ કલાકે ટેકઓફ થઇ સાંજે ૦૭:પપ કલાકે બેંગ્લોર પહોંચશે. ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે ગો ફર્સ્ટની 5 ફ્લાઇટને લીધે સુરત એરપોર્ટને હૈદરાબાદ, સિલિગુડી, પટના, શ્રીનગર, ગૌહાટી, જંમ્મુ, લખનૌ અને રાંચીના વન-વે કનેક્શન મળશે. તે ઉપરાંત સુરતથી ઇન્ટરનેશનલ ક્નેક્ટીવીટીમાં માલદીવ્ઝની સિંગલ પીએનઆર ટિકિટ પણ મળી શકશે. સિંગલ ક્નેક્ટીવીટીમાં રાંચીથી સુરત, દહેરાદુનથી સુરત, અમૃતસરથી સુરત અને ગૌહાટીથી સુરતની સીધી ક્નેક્ટીવીટી એક તરફ આવવા માટે મળી રહેશે. સુરતથી ઉપડતી દિલ્હી, બેંગલોર અને કોલકાત્તાની ફ્લાઇટ થકી જમ્મુ, લખનૌ, શ્રીનગર, સિલિગુડી, હૈદરાબાદ, પટનાની સિંગલ ક્નેક્ટીવીટી પણ મળશે. ગો એરલાઇન્સ ગ્રુપની ડોમેસ્ટિક કંપની ગો ફર્સ્ટ સુરતથી વિમાન સેવાઓ શરૂ કરે તે માટે વી-વર્ક-ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ દ્વારા એરલાઇન્સને સુરતથી જે રૂટ સજેસ્ટ કરવામાં આવ્યા હતા. તે પૈકી 3 રૂટ માન્ય રાખવામાં આવ્યા છે. જયારે ગોવા અને જયપુરની ફ્લાઇટ માટે તૈયારીઓ કરવામાં આવી છે. ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે પ્રથમ દિવસે સુરતથી કોલકાત્તા 101 પેસેન્જર ગયા હતા. જયારે કોલકાત્તાથી સુરત 130 પેસેન્જર આવ્યા હતા. બેંગલોરથી સુરત 145 અને સુરતથી બેંગલોર 30 પેસેન્જર ગયા હતા. દિલ્હીથી સુરત 115 અને સુરતથી દિલ્હી મોર્નિંગ ફ્લાઇટમાં 137 પેસેન્જર ગયા હતા. વી-વર્ક-ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા કોરોનાકાળમાં બંધ થયા પછી વંદે ભારત મિશનમાં ફેરવાઇને બંધ પડેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ ફરી શરૂ કરાવવા ભરચક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ આજે શારજાહથી 115 પેસેન્જર લઇ સુરત આવી હતી. અને સુરતથી 142 પેસેન્જર લઇ શારજાહ પહોંચી હતી. આગલી ફ્લાઇટ માટે શારજાહથી સુરત 125 અને સુરતથી શારજાહ માટે 145 ટિકિટ બુક થઇ છે.
Related Articles
વડોદરામાં હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો આરંભ કરાવતાં મુખ્યમંત્રી
ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ – લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટી બની છે.પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે તેમ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું . તેમણે […]
હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ […]
વલસાડમાં હત્યા આરોપી ચોરી કરતાં ઝડપાયો
વલસાડ અબ્રામા ધરાનગરમાં જનરલ સ્ટોરમાંથી તસ્કરો રૂપિયા ચાર હજારની ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. ચોરી કરનાર હત્યાનો આરોપી છે, જેણે સાત વર્ષ જેલવાસ ભોગવ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ધરાનગરમાં શ્રીજી એપાર્ટમેન્ટ નં.101 માં રહેતા રાજેશ ચંપકલાલ શાહ અબ્રામા અરિહંત જનરલ સ્ટોર્સ નામની […]