રાજ્યપાલ સત્યપાલ મલિક કંઈપણ બોલ્યા કરતાં હોય છે. આરએસએસની કોઈપણ વ્યક્તિ આ રીતે ફાઈલ પાસ કરાવવાની વાતમાં સંડોવાયેલી ના હોઈ શકે તેમ આજે સુરતમાં સત્યપાલ મલિકના આક્ષેપોના સંદર્ભમાં આરએસએસના રામ માધવે જણાવ્યું હતું. શનિવારે શહેરમાં ઓરો યુનિવર્સિટીમાં આરએસએસના કાર્યકારિણીના સભ્ય રામ માધવે લખેલી હિન્દુત્વ પૈરાડિયમ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તેઓએ વિશ્વ સામે આવનારા દિવસોમાં કયા પ્રકારના પડકાર છે તેમજ ભારત વિશ્વને કયા પ્રકારે માર્ગદર્શન આપી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. હાલમાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું હતું. જેના અંગે તેઓ હાલ ખુબ ચર્ચામાં છે. સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે, ‘‘અંબાણી અને આરએસએસની ફાઇલ પાસ કરાવવા માટે મને કરોડ રૂપિયાની ઓફર કરી છે. ’’ જે અંગે શહેરમાં આવેલા રામ માધવને સવાલ પુછાતા તેઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી વ્યક્તિ આવી પ્રવૃત્તિઓમાં ક્યારેય સામેલ નથી હોતી. તેમ કહી સત્યમલિકના વિવાદાસ્પદ નિવેદનનું ખંડન કર્યુ હતું. વધુમાં તેઓએ પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન શિક્ષણ નિતી અંગે વાતો કરી હતી. અન જમ્મુ-કશ્મીરની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે અને ત્યાં ઉદ્યોગ ધંધા સારી રીતે ચાલી રહ્યા છે તેમ પણ ઉમેર્યુ હતું.
Related Articles
ટિમલિયાવાડ સુરતના યશ સંગ્રામનું દિવડાનું ડેકોરેશન
સુરતના નાનપુરા સ્થિત ટિમલિયાવાડ ખાતે આવેલી શ્રેયસ સોસાયટીમાં યશ સંગ્રામે તેમના ઘરમાં જ લાઇટિંગ અને દિવડાનું અદભૂત ડેકોરેશન કર્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
જે વ્યક્તિ નિર્માણની જવાબદારી લે તે જ સાચો શિક્ષક : રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરના અગિયારમાં સ્થાપના દિને સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલા સમારંભમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું ભારતીય શિક્ષણ પ્રશિક્ષક સંસ્થા શિક્ષકોના નિર્માણનું પવિત્ર ઋષિ કાર્ય કરી રહી છે. જે વ્યક્તિ માનવ નિર્માણની જવાબદારી પોતાના શિર ઉપર લે છે તે જ આચાર્ય અર્થાત શિક્ષક છે. શિક્ષકો માનવ નિર્માણના આરાધક છે. દરેક […]
સોનીફળિયા, સુરતના અંકુર ગાંધીના ઝૂંપડીની થીમ પર શ્રીગણેશ
(અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા) સુરતના સોનીફળિયા વિસ્તારમાં આવેલા પાણીની ભીંત ખાતે રહેતા અંકુર ગાંધીએ તેમના ઘરમાં જ ઝૂંપડીની થીમ પર ગણેશજીનું સુંદર આયોજન કર્યું છે. આ ગણેશ ભક્તનો ઉત્સાહ વધારવા તેમના ગણપતિને વધુમાં વધુ લાઇક આપો ( ખાસ નોંધ..આ સ્પર્ધામાં જોડાવા માટે 93132 26223 ઉપર ગણપતિનો ફોટો, મંડળ કે વ્યક્તિગત નામ, સંપૂર્ણ […]