ગણદેવીમાં યુવાન નમાજ પઢવા જતા કોઇ અજાણ્યો ચોર બાઇક ચોરી કરી નાસી ગયાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. જ્યારે પોલીસે બાઇક ચોરીના આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના જમાદારવાડ મસ્જીદની ખોલીમાં યાસીન યુસુફ શેખ (ઉ. વ. ૩૬) તેમના પરિવાર સાથે રહે છે. ગત 15મીએ યાસીને તેની પેશન બાઇક (નં. જીજે-21-એલ-6767) ઘર પાસે પાર્ક કરી હતી. અને તે બપોરે નમાજ પઢવા માટે ઘર બંધ કરી મસ્જીદે ગયા હતા. જ્યાંથી નમાજ પઢી પરત ઘરે આવ્યા હતા. ત્યારે તેમણે ઘર પાસે પાર્ક કરેલી બાઇક ન હતી. જેથી યાસીને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. દરમિયાન બાજુમાં રહેતા સહીદાબેન મજીદભાઇ તાઇએ જણાવ્યુ હતુ કે બપોરે અઢી વાગ્યે કપડા સુકવવા બહાર આવ્યા ત્યારે બાઇક બહાર હતી. ત્યારબાદ બાઇક કોણ લઇ ગયુ તેની ખબર નથી. જેથી યાસીને ગણદેવી વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ બાઇક મળી ન હતી. આ બાબતે યાસીને ગણદેવી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીઍસઆઇ પી.એચ. કછવાહાએ હાથ ધરી છે. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા બાતમીના આધારે બાઇક ચોરીનો આરોપી અને ગણદેવીના પઠાણવાડમાં રહેતા ફકીર નઝીરભાઇ મુઝાવરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
Related Articles
ગણદેવીનો વેંગણિયા પુલ પાણીમાં ગરકાવ
બીલીમોરાથી ગણદેવી જતાં વેગણીયા નદી ઉપર બનેલા વેગણિયા પુલ પાણીમાં ગરકાવ થયો હતો. જેથી કાત્રક વિલા વિસ્તારના 250 પરિવારો પ્રભાવિત થયા હતા. તો ત્યાં નેરોગેજ રેલવે પુલ નીચે પાણી ફરી વળ્યા હતા. ગણદેવીથી દેસાડ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા હાલાકી વધી હતી. બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળતા પૂર્વ-પશ્ચિમનો વ્યવહાર પ્રભાવિત […]
ડાંગના બારદા ધોધમાં ડૂબી ગયેલા વકીલપુત્રનો મૃતદેહ મળ્યો
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચનખલ ગામ નજીકનાં બારદા ધોધમાં ડૂબી ગયેલા સરકારી વકીલનાં પુત્રની આખરે ભાળ મળી. આહવાનાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ગત તા.20-08-2021નાં રોજ બપોરે ચારેક વાગ્યે, ચનખલ ગામના અગ્રણી અને સરકારી વકીલ તરીકે સેવારત મહેશ પટેલનો યુવાન દીકરો મલય પટેલ (ઉ.વ. આશરે 20 વર્ષ) તેના કેટલાક મિત્રો સાથે […]
નવસારીમાં દર્શના જરદોષનું ભવ્ય સ્વાગત
ભારત સરકારના નવનિયુક્ત રાજ્યકક્ષાના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશની જન આશીર્વાદ યાત્રા આજે નવસારી જિલ્લામાં આવી પહોંચી હતી. નવસારી જિલ્લાના પ્રવેશદ્વાર બલવાડા ગામ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ઉપસ્થિત રહી યાત્રામાં જોડાયા હતા. જન આશીર્વાદ યાત્રાનું બીલીમોરા શહેર અને ગણદેવી શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ […]