બીલીમોરા(BILIMORA) નજીકના ધોલાઈ બંદરેથી નાળિયેરી પુનમના દિવસે રવિવારે બપોરે માછીમારો અને તેમના પરિવારજનોએ દરિયાદેવની પૂજા સાથે નાળિયેર અર્પણ કરી ઉઘડતી સિઝનમાં મચ્છીનો મબલક પાક મળે અને બોટ સાથે સહી-સલામત પરત આવે તેવી પ્રાર્થના કરી વિધિવત રીતે દરિયો ખેડવા માટે સાગરખેડુઓ રવાના થાય હતા.ચોમાસાના પ્રારંભમાં દરિયો(SEA) તોફાની બનતો હોવાથી સાગરખેડૂઓ દરિયામાં જતાં નથી, તેઓ આ સમય દરમિયાન તેમની બોટોનું સમારકામ કરતાં હોય છે. શ્રાવણ માસમાં દરિયો થોડો શાંત રહેતો હોય શ્રાવણી પૂનમે માછીમાર ભાઈઓ દરિયાઈ સફર ખેડવા મચ્છીમારી(FISHING) કરવા નીકળતા હોય છે. નવસારી જિલ્લાની 750 જેટલી બોટો દરિયો ખેડવા નીકળી છે. જોકે ધોલાઈ બંદરેથી અંદાજીત 250થી વધુ બોટો ફિશિંગ માટે રવાના થઈ હતી. મચ્છીમારી કરવા જઈ રહેલી બોટોમાં જરૂરી લાયસન્સ, લાઈટ, લાઈફ જેકેટ, દોરડા, હેલ્મેટ, ટોર્ચ લાઈટ, દસ્તાવેજી પુરવા, જી.પી.એસ. સિસ્ટમ, વી.એચ.એફ. સેટ, 15-20 દિવસ ચાલે એટલું અનાજ પાણી, દવા, ડીઝલ માછલી પકડવાના જરૂરી સામાનથી સજ્જ બધી બોટો રવાના થઈ છે. ધોલાઈ બંદરેથી બોટો ઓખા અને મુંબઇ પહોંચે છે અને ત્યાંથી દરિયાયી સફરે નીકળે છે. વિપુલ પ્રમાણમાં દરિયાઈ મેવો મળવાના વિશ્વાસ સાથે દરિયાઈ સફરે નીકળેલા માછીમાર ભાઈઓએ તેમને દરિયામાંથી તીતળ, ધુમાં, કાપસી, વામ, લોબસ્ટર, ઝીંગા, હિલ્સા, પોમ્પ્લેટ, અને બુમલા જેવી માછલીઓ અઢળક પ્રમાણમાં મળી રહે એવી પ્રાર્થના કરી હતી.
Related Articles
સ્ટંટ માટે પીસીઆરનો ઉપયોગ થતાં બીલીમોરાના ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં પાર્ક કરેલી પોલીસ પીસીઆર વાનમાંથી યુવકે ઉતરી જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે સ્ટંટ કરનાર તથા તેની સાથેના બીજા 3 મળીને 4ની ધરપકડ કરી છે. જ્યારે પીસીઆર વેનનો આ સ્ટંટ કરવા માટે ગેરકાયદેસર ઉપયોગ કરવા દેવા બદલ અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર 3 પોલીસ કર્મીઓને પણ જિલ્લા પોલીસવડાએ […]
બીલીમોરાનું ગરનાળું પાણીમાં ગરક
ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં ધોધમાર પડી રહેલા વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું છે. વિતેલા 24 કલાકમાં 159 એમએમ એટલે કે 6.36 ઇંચ વરસાદ પડવા સાથે સૌથી વધારે ગુરુવારે મળસ્કે થી 4 સવારે 8 દરમિયાન 5 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લીધે બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. ચોમાસાની ઋતુનો અસલ મિજાજ ચોમાસું […]
બીલીમોરાના રેલવે ગરનાળામાં વ્યાપક ગંદકી
બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેને લીધે નાના મોટા વાહનોને મેલા પાણીમાંથી મજબૂરીમાં પસાર થવું પડે છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોવાથી ભારોભાર યાતનાઓ પડી રહી છે. જોકે છેક ધકવાડાથી આવતી આ મેલા પાણીની કાસ રેલવે અંડરગ્રાઉન્ડ થઈ સ્ટેશન ખાડા માર્કેટને લાગીને વાઘરેચ […]