જૈનોના પર્વાધિરાજ પર્યુષણમાં ત્રીજા દિવસે વેસુના ઓમકારસૂરિઆરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રવચન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ શુદ્વિનું પર્વ છે. માનવ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થવાની પૂરી શક્યતા છે. આપણા આત્મામાં ‘સુ’ અને ‘કુ’ એમ બંને પ્રકારનાં સંસ્કારો અનાદિકાળથી પડ્યાં છે. ક્યારે કયાં સંસ્કારોનો હુમલો થશે તેની ખબર પડતી નથી. બાહ્ય નિમિત્તો ઉપર આપણું જીવન બને છે. અત્યારે ચારેય બાજુ કુનિમિતોનો રાફડો ફાટ્યો છે. પહેરવેશ, વાણી અને વ્યવહાર બદલાયા છે. મોબાઇલ, ઇન્ટરનેટ દ્વારા કુસંસ્કારોની આગ સર્વત્ર વ્યાપ્ત બની છે. જેના કારણે કષાયોએ માઝા મૂકી છે. પાપ તો સાપ કરતાં પણ ખતરનાક છે. સાપનો ડંખ એક ભવ બરબાદ કરશે, પણ પાપની પરંપરા ભવોભવને બરબાદ કરશે, પુણ્યવૃદ્વિ કરતાં પણ પાપશુદ્વિ મહત્ત્વની છે. જીવનમાં કરેલાં પાપોનું પ્રાયશ્વિત સદગુરુ પાસે એકવાર અવશ્ય કરી લેવું જોઇએ. ભવભીરુ અને પાપભીરુ એવા સદગુરુ પાસે જીવનની કાળી કિતાબ ખુલ્લી મૂકી દો. જીવનની ચાદર સદગુરુની લોન્ડ્રીમાં ધોઇને સાફ કરી નાંખો. જીવનમાં ક્યારેય હતાશ કે નિરાશ થશો નહીં. અશુદ્વિઓને દૂર કરી શુદ્વ કરવા માટે તનતોડ સફળ પ્રયત્ન કરવા જોઇએ.
Related Articles
સરકાર કોરોનાના સાચા આંકડા જાહેર કરે : ગુજરાત હાઇકોર્ટ
બેડ નથી, ઓક્સિજન નથી, ઇન્જેક્શનો નથી છતાં સરકાર સબ સલામતના દાવા કરી રહી છે. રાજ્ય સરકાર મૃત્યુઆંક સહિત આંકડાઓની સંખ્યામાં ઢાંકપીછાડો કરી રહી છે. ત્યારે શક્રવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આદેશ કર્યો હતો કે લોકોમાં વિશ્વાસ સંપાદીત થાય તે રીતે સાચા અને પારદર્શી રીતે આંકડા જાહેર કરવામાં આવે. રાજ્ય સરકારના અધિકારી કે કોઈ […]
હાલ ગુજરાતમાં લોકડાઉનની જરૂર નથી : રૂપાણી
દાહોદમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવેલા સીએમ વિજય રૂપાણીએ હાલમાં ગુજરાતમાં લોકડાઉનની કોઈ જરૂરત નહીં હોવાનું જણાવ્યુ હતું. રૂપાણીએ કહ્યુંહતું કે,હાલમાં લોકડાઉનની જરૂરનથી, કારણકે,8 મનપા સહિત 20 શહેરોમાં રાત્રીકર્ફ્યૂઅમલમાં છે. જયારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધકરાવીદેવાઈ છે. તેવી જ રીતે ધાર્મિ કસંસ્થાઓ, મોલ, થિયેટર, જીમ અને ક્લબ પણ બંધ કરાવી દેવામાં આવ્યાછે. અલબત્ત , જરૂરી […]
લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે અમદાવાદમાં રથયાત્રા
લોખંડી સલામતી વ્યવસ્થા વચ્ચે પરંપરાગત માર્ગો પર કર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ગત વર્ષે કોરોના સંક્રમણની પહેલી લહેર હોવાના કારણે આ રથયાત્રા મંદિર પરિસરમાં ફરી હતી. આવતીકાલે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ તેમના પરિવાર સાથે જગન્નાથજી મંદિરની મંગળા આરતીમાં ભાગ લેશે . જયારે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિન્દ વિધી […]