બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરનાં ડો.રાજેન્દ્ર ગઢવી, ડો. નિરાલી નાયક અને ગણદેવી આરોગ્ય વિભાગના સુપરવાઈઝર પ્રકાશ પટેલની દેખરેખ હેઠળ રેલવે સ્ટેશન અને એસટી ડેપો ઉપર મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું હતું. આરોગ્યની ટીમે અનેક મુસાફરોનું થર્મલ ગન વડે ટેમ્પરેચર ચકાસણી, માસ્ક અવરનેશ અને સેનિટાઈઝેશન કરાયું હતું. દિવસભરની ડ્રાઈવ બાદ પણ કોઈ શંકાસ્પદ કેસ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સાવચેતી અને તકેદારીનાં ભાગ રૂપે રોજે રોજ સ્કીનિંગ પ્રક્રિયા હાથ ધરાશે. જેથી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય.
Related Articles
ડાંગના શિવઘાટ નજીક એસટી બસને અકસ્માત
ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં શિવઘાટમાં એસટી બસ ભેખડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં ગાંધીનગર તરફથી આહવા આવી રહેલી ગાંધીનગર-આહવા એસટી બસ ન. જી.જે. 18 ઝેડ 7509 જે મળસ્કે 4.30 વાગ્યાનાં અરસામાં વઘઇથી આહવાને જોડતા રાજ્યધોરી માર્ગનાં શિવઘાટમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ભેખડ સાથે ભટકાતા […]
ગણદેવીનો વેંગણિયા પુલ પાણીમાં ગરકાવ
બીલીમોરાથી ગણદેવી જતાં વેગણીયા નદી ઉપર બનેલા વેગણિયા પુલ પાણીમાં ગરકાવ થયો હતો. જેથી કાત્રક વિલા વિસ્તારના 250 પરિવારો પ્રભાવિત થયા હતા. તો ત્યાં નેરોગેજ રેલવે પુલ નીચે પાણી ફરી વળ્યા હતા. ગણદેવીથી દેસાડ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા હાલાકી વધી હતી. બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળતા પૂર્વ-પશ્ચિમનો વ્યવહાર પ્રભાવિત […]
અફઘાનિસ્તાનમાં નોકરી કરતાં બીલીમોરાના રહેવાસીની વતન વાપસી
અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠન તાલિબાનોના બળજબરી પૂર્વક કરાયેલા શાસન બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જે બાદ ગણદેવી તાલુકાનાં નાંદરખા ગામના આધેડ હેમખેમ વતન પરત ફરતા પરીવારે રાહત અનુભવી હતી. બીલીમોરા નજીકનાં નાંદરખા ગામનાં ઉટડી ફળીયામાં રહેતા મનુભાઈ છગનભાઇ પટેલ (ઉ.51) વર્ષ 2013થી અફઘાનિસ્તાનમાં અમેરિકન દુતાવાસનાં જનરલ મેન્ટેનન્સ વિભાગમાં ફરજ બજાવે છે. દરમિયાન બે સપ્તાહ અગાઉ ઉગ્રવાદી […]