બીલીમોરાથી ગણદેવી જતાં વેગણીયા નદી ઉપર બનેલા વેગણિયા પુલ પાણીમાં ગરકાવ થયો હતો. જેથી કાત્રક વિલા વિસ્તારના 250 પરિવારો પ્રભાવિત થયા હતા. તો ત્યાં નેરોગેજ રેલવે પુલ નીચે પાણી ફરી વળ્યા હતા. ગણદેવીથી દેસાડ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા હાલાકી વધી હતી. બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળતા પૂર્વ-પશ્ચિમનો વ્યવહાર પ્રભાવિત થયો હતો. એક માત્ર રેલવે ક્રોસિંગ 108 ઉપર વાહનોની લાંબી લાઈનો લાગતા અરાજકતા ફેલાઈ હતી.
Related Articles
નવસારી જિલ્લામાં 1682 સર્ગભાઓનું વેક્સિનેશન
કોરોના(CORONA)વાયરસ સામે લડવા કોવિડ-19 રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ સર્ગભા સ્ત્રીઓને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવામાં આવતા આજદિન સુધી ઇ-મમતામાં નોંધાયેલી કુલ 6386 સર્ગભા સ્ત્રીઓ પૈકી 1682 સર્ગભા સ્ત્રીઓને કોવિડ રસીકરણથી આવરી લેવામા આવી છે. આમ 27 ટકા જેટલી સર્ગભા સ્ત્રીઓને રસીકરણ કરી નવસારી(NAVSARI) જિલ્લાએ એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ […]
ડાંગની એકલવ્ય સ્કૂલમાં ધો. 11ના માત્ર 30 વિદ્યાર્થી
ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની. ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની […]
બીલીમોરાના રેલવે ગરનાળામાં વ્યાપક ગંદકી
બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેને લીધે નાના મોટા વાહનોને મેલા પાણીમાંથી મજબૂરીમાં પસાર થવું પડે છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોવાથી ભારોભાર યાતનાઓ પડી રહી છે. જોકે છેક ધકવાડાથી આવતી આ મેલા પાણીની કાસ રેલવે અંડરગ્રાઉન્ડ થઈ સ્ટેશન ખાડા માર્કેટને લાગીને વાઘરેચ […]