બીલીમોરા નજીકના ગોયંડીમાં હડકાયા શ્વાને ગામના 10 થી વધારે લોકોને કરડી ઘાયલ કરતા હડકંપ મચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોયંડી ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામના ઈંટના ભઠ્ઠા ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામના મજૂરને શ્વાને કરડતા તેને 27 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગામની ચાર વર્ષીય બાળકી ઘરના ઓટલા પર બેઠી હતી. તેને આ હડકાયો શ્વાન ખેંચી જતા તેને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સદનસીબે ગામના યુવાનો બાળકીને શ્વાને વધુ નુકસાન પહોંચાડે તે પહેલા બચાવી લીધી હતી. આ હડકાયો શ્વાન અચાનક લોકોની નજીક આવીને હુમલો કરી બેસે છે અને શરીરે બચકા ભરી લેતો હોય છે. તેને હડકવુ લાગ્યું હોવાથી તે રઘવાયું બનેલું છે. જેથી આ શ્વાનને પકડવાની ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે પણ તે હાથે હજી લાગ્યું નથી. જેથી તંત્ર પાસે ગ્રામજનોએ મદદ માંગી આ હડકાયા શ્વાનના આંતકથી ગ્રામજનોને મુક્ત કરાવવાની માંગ કરી રહ્યાં છે.
Related Articles
રાજ્યના 80,000 સ્કૂલ વર્ધી વાહનચાલકો એક વર્ષથી બેકાર
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી સ્કૂલ વર્ધી વાહનચાલકો બેકાર બન્યાં છે. આ બેકારીમાં ડ્રાઇવરો અને વાહન સંચાલકો સામેલ છે. બેન્ક હપ્તા નહીં ભરી શકતા હોવાથી ત્રણ હજારથી વધુ વાહન માલિકો અને ડ્રાઇવરોએ તેમના વાહનો વેચી દીધા છે અથવા તો બેન્કે જપ્ત કરી લીધા છે.અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી […]
રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 8920 કેસ: 94ના મોત
રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 24, અમદાવાદ મનપામાં 25, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, […]
ફાયર સેફ્ટી એનઓસી મુદ્દે શૈક્ષણિક સંસ્થાઓને રાહત
રાજ્ય સરકારે રવિવારે ફાયર સેફટીના મામલે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યા છે, જે મુજબ ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય […]