વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને વાપી તાલુકા સમિતિ દ્વારા વાપી સ્થિત માધવ હોટેલમાં કોરોબારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી મિટીંગમાં આવનારી વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીને લઇને રણનીતિ નક્કી કરવામાં આવી હતી. વાપી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠનને મજબૂત કરી આવનારી વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાલિકામાં કબ્જો જમાવે તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ કારોબારીની મીટિંગમાં તમામ કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કારોબારીની બેઠકમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશભાઈ વશી, વાપી નગરપાલિકાના વિરોધપક્ષ નેતા ખંડુભાઈ પટેલ, વાપી નગરપાલિકાનાં સભ્ય પીરૂભાઈ મકરાણી, વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશ પટેલ, ભીલાડવાળI બેંકના સભ્ય હેમંત દેસાઈ, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર, વલસાડ જિલ્લા માજી સભ્ય ભાવિક પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી આશાબેન દુબે, વાપી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ વનીતાબેન રાણા, વલસાડ જિલ્લા માઇનોરીટી પ્રમુખ ખાલિદ ગોદાલ, અજય શાહ, અલકેશ દેસાઈ, ઉમાભાઈ યાદવ, ફરહાન ભાઈ બોગા, સાદભાઈ બોગા વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Related Articles
એંધલ ગામના જયંતિ ભાઇ આહિરની આત્મહત્યા
ગણદેવી તાલુકાના એંધલ ગામના આહિર વાસમાં રહેતા ૫૫ વર્ષીય જયંતીભાઈ મનુભાઈ આહીરે ધમડાછા ગામે આવેલી અંબિકા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. અહીંના પુલ પાસેના નદીના પાણીમાંથી શુક્રવારે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના કાકાએ ગણદેવી પોલીસને જાણ કર્યા મુજબ મૃતક જયંતીભાઈ મનુભાઈ આહિર આહિરવાસ ખાતે રહે છે અને લગભગ આઠ વર્ષથી જીભમાં કેન્સર […]
વ્યારામાં ભીંડાના યોગ્ય ભાવ નહીં મળતા ફરી વિવાદ
વ્યારા માર્કેટ યાર્ડમાં અઠવાડિયા કરતા વધુ સમયથી ભીંડાનાં યોગ્ય ભાવો નહીં મળતાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. વેપારીઓનું શોષણ યથાવત રહેતાં માર્કેટ બંધ રાખી ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વ્યારા APMCનું બપોરનું શાકભાજી (ભીંડા) બજાર રવિવારથી રાબેતા મુજબ શરૂ થયું હતું. ખેડૂતોને ભીંડાનો ભાવ રૂ.200થી 600 સુધીના આપવામાં આવ્યાનું વહીવટી તંત્રે જણાવ્યું […]
વ્યારા એપીએમસીમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
વ્યારા (VYARA)ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ દ્વારા કાર્યરત માર્કેટમાં ફળ અને શાકભાજીના ખરીદ-વેચાણના ભાવ બાબતે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ(FRICTION) થયું હતું. ઘણા દિવસથી શાકભાજીનો ભાવ ઓછો ચૂકવવાનો ખેડૂતોનો આક્ષેપ થઈ રહ્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ ત્રણ ચાર દિવસે પણ શાકભાજી અમારી પાસે વેપારીઓ દ્વારા લઈ જવાઈ નથી. માંગ ન હોવાથી સ્ટોક પડી રહે છે. જેથી […]