વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં ગણેશ મહોત્સવનો શુક્રવારે ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયો છે. વિઘ્નહર્તાની મૂર્તિઓની કોરોના ગાઇડલાઇન સાથે જાહેર સ્થળોએ તેમજ ઘરેઘરે સ્થાપના કરાઇ છે. ગણપતિ બાપા મોરયાના નાદ સાથે વાજતેગાજતે અને ભક્તિભાવપૂર્વક તાપી જિલ્લામાં 103થી વધુ નાની ગણપતિ બાપાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાની મહામારીને લઈ વિઘ્નહર્તાની ઉજવણીને જ ગ્રહણ નડ્યું હતું. જેથી આ વર્ષે છૂટછાટને લઈ સમગ્ર તાપી જિલ્લામાં ગણેશજીના પંડાળ-મંડપ જોવા મળી રહ્યા છે. આ વર્ષે સંક્રમણ હળવું થતાં અને થોડીઘણી છૂટછાટો મળતાં ગણેશ મહોત્સવના આયોજનથી ભાવિકોનાં હૈયાં હરખાઇ ઊઠ્યાં છે. દરરોજ સવાર-સાંજ આરતી, ધૂન, ભજન, સંગીત સહિતના ભક્તિના કાર્યક્રમો યોજાશે. છેલ્લે દિવસે વાજતેગાજતે વિસર્જન યાત્રા યોજી અશ્રુભીંની આંખે ભક્તો દ્વારા સમાપન કરાશે.
Related Articles
ગુજરાતમાં કોરોનાકાળ પણ 1.62 કરોડ એફડીઆઇ : વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન ફ્લિટ આધુનિકીકરણ પૉલિસીના નવતર આયામને આવકારતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે જે મજબૂત પાયો નાંખ્યો છે અને એમના બતાવેલા માર્ગ પર ગુજરાતના વિકાસને આગળ લઇ જવા માટે અમારી સરકાર પ્રતિબધ્ધ છે અને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવામાં આ પ્રયાસ ચોકકસ નવી દિશા આપશે. તેમણે જણાવ્યું હતું કે […]
પ્રાથમિક શિક્ષકો માટે 8 કલાક કામ કરવાનો પરિપત્ર રદ થયો
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો વિવાદ હજુ હમણા થયો હતો. ત્યાં શિક્ષણ વિભાગ દ્વારા 6થી 8 કલાક માટે કામ કરવાનો પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે. શિક્ષકો આ પરિપત્ર માટે આંદોલનના માર્ગે ચાલી રહ્યાં છે, તેમાં કોંગ્રેસ પણ જોડાયું નથી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો કે શિક્ષકોના કામ કાજના સમયમાં ઘટાડો કરવો […]
ચેમ્બર ઓફ કોમર્સના પ્રદર્શનનું મંત્રી દર્શના જરદોષ ઉદ્ઘાટન કરશે
ભારતમાં સૌપ્રથમ વખત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૧થી ૧૩ સપ્ટેમ્બર ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એક્ઝિબિશનન– ર૦ર૧’નું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કેન્દ્રના ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે કરવામાં […]