એક વર્ષથી અલગ રહેતી પત્નીને પતિએ બહાર ફરવા જવાનું કહ્યું હતું, પત્નીએ ના પાડતા પતિ ઉશ્કેરાયો હતો અને ‘તારે મારી સાથે નથી રહેવું તો તને જીવતી નહીં રહેવા દઇશ’ કહીને તેણીને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. અમરોલી છાપરાભાઠા શ્રીરામનગર સોસાયટીમાં ફોઇ-ફૂવાના ઘરે રહેતી 21 વર્ષિય પાયલબેનના પ્રેમલગ્ન 2016માં સૌરાષ્ટ્રના રાજુલા ગામે મંદિરમાં રવિભાઇ વરિયાની સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જેથી પાયલ સુરતમાં ફોઇ-ફૂવાના ઘરે આવી હતી. છેલ્લા એક વર્ષથી બંને અલગ રહેતા હતા. પાયલબેનએ પોતાનો મોબાઇલ નંબર પણ બદલી નાંખ્યો હતો. બીજી તરફ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રવિએ પાયલનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. રવિ સુરત આવ્યો અને પાયલને મળ્યો હતો, પાયલને બહાર ફરવા જવાનું કહીને વાત કરવા જણાવ્યું હતું. પરંતુ પાયલે બહાર આવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી રવિ ઉશ્કેરાયો હતો. રવિએ પાયલને કહ્યું કે, ‘ચાલ તું મારી સાથે, હું તને લેવા માટે આવ્યો છું, અને જો તું મારી સાથે નહીં આવી કે મારી સાથે નહીં રહીશ તો તને જીવતી મારી નાંખીશ’ કહીને પાયલને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. આરોપી રવિ વરિયા સામે અમરોલી પોલીસમાં હત્યાના પ્રયાસની ફરિયાદ પણ નોંધાઇ હતી.
Related Articles
‘લવ જિહાદ’ વિરોધી ખરડો ગુજરાત વિધાનસભામાં પસાર
ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવા મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ જેહાદના કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિના પરિણામે ઉગામ્યું છે. આ અમારો પોલિટિકલ એજન્ડા નહીં પણ દુરવવ્હાર પ્રત્યે અમારી વ્યથા છે. તેને વ્યવસ્થામાં પરિવર્તિત કરી બહેન-દિકરીઓ સાથે વિશ્વાસઘાત કરી […]
ખેડૂત આગેવાન રાકેશ ટિકેત બે દિવસ ગુજરાતમાં
કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતી કાલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. જે પાલનપુર અને બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે. અંબાજીમાં દર્શન કર્યા બાદ પાલનપુર ખાતે જાહેર […]
ગુજરાત બોર્ડે ધો. 12ની પરીક્ષા નહીં લેવાનો કર્યો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી […]