મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ જિલ્લાના તારાપૂર નજીક એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 11 લોકોના મોત થઇ ગયા હોવાનો કરૂણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ પરિવાર ઇકો કારમાં સવાર હતો અને તારાપુર નજીક અકસ્માત સર્જાયો હતો. આ પરિવાર ભાવનગરના વરતેજ ગામનો છે અને પરિવારના સભ્યો ઇકો કારમાં સુરતથી ભાવનગર જઇ રહ્યાં હતાં ત્યારે આ કરૂણાંતિકા સર્જાઇ હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આણંદના કલેક્ટરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તારાપુરથી વટામણની વચ્ચે સર્જાયેલા આ અકસ્માત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઇકો કાર ટ્રકમાં ઘસી જતાં સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેંટનાર લોકોને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજિલ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડોદરામાં સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં સૌરાષ્ટ્રથી સુરત આવી રહેલી કાર વડોદરા નજીક પલટી ગઇ હતી અને તેમાં આમ આદમી પાર્ટીના અગ્રણી સહિત ત્રણના મોત થયા હતા.
Related Articles
જેરૂસલેમમાં યહુદી ધર્મસ્થળને આગચંપી, આરબોની કાર પર વળતાં હુમલા
સપ્તાહોથી ચાલી રહેલ પેલેસ્ટાઇનીઓ અને ઈઝરાયેલીઓ વચ્ચેના સંઘર્ષે અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જ્યાં ભારે લડાઇ ફાટી નીકળી છે તે ગાઝાની સરહદે ભૂખરા રંગના ધુમાડાના ગોટે ગોટા દેખાઇ રહ્યા છે અને ગાઝામાં ઠેર ઠેર નુકસાન પામેલી ઇમારતો સહિત વિનાશના દ્રશ્યો દેખાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર બની ગયેલી આ લડાઇમાં ડઝનબંધ લોકો […]
સુરતમાં 2 ફૂટ સુધીની મૂર્તિનું ફરજિયાત ઘરઆંગણે વિસર્જન
આવતા સપ્તાહે સુરતના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવનો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ સાર્વજનિક રીતે ઉજવી શકાયો ન હતો. પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતાની સાથે જ ગણેશભક્તોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. સુરત મહાનગર પાલિકાએ પણ કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન સુરત શહેર ગણેશ […]
સરકાર કોરોનાના સાચા આંકડા જાહેર કરે : ગુજરાત હાઇકોર્ટ
બેડ નથી, ઓક્સિજન નથી, ઇન્જેક્શનો નથી છતાં સરકાર સબ સલામતના દાવા કરી રહી છે. રાજ્ય સરકાર મૃત્યુઆંક સહિત આંકડાઓની સંખ્યામાં ઢાંકપીછાડો કરી રહી છે. ત્યારે શક્રવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આદેશ કર્યો હતો કે લોકોમાં વિશ્વાસ સંપાદીત થાય તે રીતે સાચા અને પારદર્શી રીતે આંકડા જાહેર કરવામાં આવે. રાજ્ય સરકારના અધિકારી કે કોઈ […]