નવસારી જિલ્લામાં શનિવારે વરસાદ યથાવત રહેતા ખેરગામ અને નવસારીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે આજે નવસારીમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત ગુરૂવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જોકે ગત 2 દિવસથી જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગત શુક્રવારે સાંજે 6 વાગ્યેથી આજે શનિવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, ચીખલી તાલુકામાં 35 મિ.મી. (1.4 ઇંચ), ખેરગામ તાલુકામાં 34 મિ.મી. (1.4 ઇંચ), વાંસદા તાલુકામાં 22 મિ.મી. (0.9 ઇંચ), નવસારી તાલુકામાં 12 મિ.મી. (0.5 ઇંચ), ગણદેવી તાલુકામાં 11 મિ.મી. (0.4 ઇંચ) અને જલાલપોર તાલુકામાં 10 મિ.મી. (0.4 ઇંચ) વરસાદ નોંધાયો હતો. નવસારી ગત 2 દિવસ વરસાદ પડતાં મહત્તમ તાપમાન 7 ડિગ્રી ગગડ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ગગડ્યું હતું. પરંતુ ગત રોજ હળવો વરસાદ પડતા તાપમાનમાં વધારો થયો હતો. જોકે આજે વરસાદી ઝાપટા પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. શનિવારે નવસારીમાં મહત્તમ તાપમાનમાં નહિવત ઘટાડો થતાં 27.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન વધુ 1 ડિગ્રી વધીને 23 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબદ વધીને 89 ટકા રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે 2.9 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડક વર્તાઈ હતી.
Related Articles
ચીખલીમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાળ યથાવત
ચીખલીમાં ટ્રક ઓનર્સ એસોસીએશન અને કવોરી એસોસીએશનની બેઠક નિષ્ફળ જતા ટ્રક માલિકોની હડતાળ યથાવત રહેવા પામી છે. ડીવાયએસપી ફળદુની મધ્યસ્થી પણ બેઅસર રહેવા પામી હતી. દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસીએશન દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશ દેસાઇ સહિતનાની આગેવાનીમાં 200થી વધુ ટ્રકોના પૈંડા થંભાવી દઇ છેલ્લા બે દિવસથી હડતાળ પાડવામાં આવી છે. સુરત વિસ્તારમાંથી […]
વાંસદાના ધરમપુરી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન
વાંસદાના ધરમપુરી ગામમાં વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરી અને આજુબાજુના ગામના ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં વિના મુલ્યે દવા આપી ડોક્ટરો દ્વારા તંદુરસ્તી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામીત સમાજના પ્રમુખ અને આદિવાસી મોરચાના મહામંત્રી અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં લોકો ખેતીવાડી […]
વાંસદામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વાંસદા તાલુકાના કુકડા સમાજ ભવન ખાતે વાંસદા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ૧૯૯૪થી યુનો અને બુધ્ધિજીવી વર્ગ દ્વારા ઘોષિત કરવામાં આવી હતી. પ્રકૃતિ અને વન પર્યાવરણને બચાવવા માટે આદિવાસી લોકોની જીવન શ્રેણી અપનાવવા માટેની વાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વાંસદાના કુકડા સમાજ ભવનમાં વાંસદા ચીખલીના […]