ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન સમાજની રીતી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજામાં અનાજ, ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. માવલી માતાની પૂજા ગામના ભુવાઓ કે જેમને અહીંના સ્થાનિકો ભગત દ્વારા કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ડૉ.નીરવ પટેલ ચીંતુબા (છાંયડો) હોસ્પિટલ ખેરગામ, મહારૂઢિગ્રામ સભા અધ્યક્ષ રમેશ યોગેશ, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ, તુંબી અને ધરમપુરના યુવાનો વાડથી રૂઢિ ગ્રામસભા પ્રમુખ ઉમેશ, જીજ્ઞેશ,હિરેન પીઠા, રાકેશ ઘેજ, જયેશ ખેરગામ,ખટાણા સરપંચ પ્રદીપ, કરંજવેરી સરપંચ બાળુ,ખાનપુના પરિમલ, અશોક, ભેંસદરાના કિરણભાઈ, નાની ઢોલ ડુંગરીના ઉપેન્દ્ર, રાજપુરી તલાટ સહિત આજુબાજુના ગામોથી ભાઈઓ,બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
Related Articles
વ્યારામાં બિલ્ડરની નિર્મમ હત્યા
તાપીમાં એક બિલ્ડરની સરાજાહેર નિર્મમ હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં ચાર જેટલા શખ્સો આવ્યા હતા અને તલવારના 15 ઘા મારીને બિલ્ડરને રહેંસી નાખ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બિલ્ડરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ […]
1986 બેચના આઇએએસ પંકજ કુમાર ગુજરાતના નવા મુખ્ય સચિવ
1986ની બેચના આઈએએસ(IAS) પંકજ કુમારને શુક્રવારે વિવિધત રીતે રાજ્ય સરકાર દ્વારા નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક આપી દેવામાં આવી છે. આગામી તા.31મી ઓગસ્ટના રોજ રાજ્યના હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનું બીજુ એકસન્ટેશન પૂરૂ થઈ રહ્યું છે. આમ તો ગુરૂવારે સાંજે જ નક્કી થઈ ગયું હતું કે રાજ્ય સરકાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર(PANKAJ […]
ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા દિવસોથી સતાવી રહ્યો હતો, જો કે તે અંગેનાં એક સુખદ સમાચાર આવ્યા છે, આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો […]