ખેરગામ તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. વીતેલા 24 કલાકમાં તાલુકામાં 87 મી.મી.(3.48 ઈંચ) જેટલો વરસાદ ઉપરાંત ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી તાન અને ઔરંગા સહિતની લોકમાતાઓમાં આજે સતત બીજા દિવસે ઘોડાપુર આવતા ખેરગામ અને ધરમપુર તાલુકા વચ્ચેથી પસાર થતા પાટી-ખટાણાં, ચીમનપાડા-મરધમાળ, બહેજ-ભાભા અને નાંધઇ-મરલા વચ્ચેનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરક રહેતા વાહન ચાલકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી. સાથે આર્થિક ભારણ વેઠવાની ફરજ પડી હતી. આ લો લેવલબ્રિજ પાણીમાં ગરક હોવાથી અહીંથી વાહન વ્યવહારબંધ કરવા સાથે અકસ્માત ન થાય તે માટે ખેરગામ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Related Articles
ખેરગામના ભૈરવીના શનિદેવ મંદિરમાં ભજનની રમઝટ
ખેરગામ(KHERGAM)તાલુકાના ભૈરવી ગામે ઔરંગા નદીના કિનારે આવેલા શનિદેવ મંદિર(TEMPLE) ખાતે શ્રાવણના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસ નિમિત્તે ભૈરવી હનુમાન ફળીયા મિત્ર મંડળ દ્વારા ભજન કિર્તનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ફળીયા યુવાનોએ ઉત્સાહભેર ભાગ ભજનોની રમઝટ બોલાવી હતી. હનુમાન ફળીયા મિત્ર મંડળના યુવાનોને સુંદર ભજનોની ધૂંનથી લોકોમાં આકર્ષણ હતું.ખેરગામ તાલુકાનું શનિધામમાં પવિત્ર શ્રાવણ માસ […]
ચીખલીમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાળ યથાવત
ચીખલીમાં ટ્રક ઓનર્સ એસોસીએશન અને કવોરી એસોસીએશનની બેઠક નિષ્ફળ જતા ટ્રક માલિકોની હડતાળ યથાવત રહેવા પામી છે. ડીવાયએસપી ફળદુની મધ્યસ્થી પણ બેઅસર રહેવા પામી હતી. દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસીએશન દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશ દેસાઇ સહિતનાની આગેવાનીમાં 200થી વધુ ટ્રકોના પૈંડા થંભાવી દઇ છેલ્લા બે દિવસથી હડતાળ પાડવામાં આવી છે. સુરત વિસ્તારમાંથી […]
ચીખલીના સરૈયા ગામમાંથી દીપડો પાંજરે પૂરાયો
ચીખલી તાલુકાના સરૈયા ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજે લઇ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ સરૈયા ગામના ઝાડી ફળિયા વિસ્તારમાં દીપડો જાહેરમાં અવર – જવર કરતો હોવાનું નજરે ચઢતા વન વિભાગ દ્વારા શુક્રવારના રોજ ઝાડી ફળિયામાં ઇશાલ કરીમભાઇ દિવાનના ઘરની નજીક પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે […]