માંગરોળના મોસાલી(MOSALI)મુકામે વેલફેર ટ્રસ્ટના મોસાલીના ટ્રસ્ટી મક્સુદભાઈ માંજરા(MAKSUD MANJRA) (લાલભાઈ ), કાસીમ જીભાઈના સહયોગથી મૈયત માટે ગુસલખાનું કે જ્યાં બધી સુવિધાઓ સાથે ફ્રીમાં ગુસલ તેમજ સામાન આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ધર્મના લોકો માટે ફ્રીમાં સાર્વજનિક વાતાનુકૂલિત શબપેટીની પણ વ્યવસ્થા આ સ્થળ પર કરવામાં આવી છે. આ વાતનુકૂલિન શબપેટી મૈયત માટે પોતાના ઘરે પણ લઈ જઈ શકશે અને આ સાર્વજનિક છે. જેનો કોઈ ચાર્જ નથી. દરેક ધર્મ માટે છે. આ ગુસલ ઘર બનાવવા માટે જમીન યુસુફભાઈ કોલી તરફથી વકફ કરવામાં આવેલ છે.
Related Articles
માછલાંના મોત બાદ બારડોલીની મિંઢોળાની મુલાકાત લેતા અધિકારી
બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં ગુરુવારે કેમિકલયુક્ત પાણી આવતા અસંખ્ય માછલાંનાં મોત થયાં હતાં. જે અંગે બારડોલી નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતાં જી.પી.સી.બી.ના અધિકારીઓ શુક્રવારે બારડોલી પહોંચ્યા હતા. જી.પી.સી.બી.ની ટીમે ત્રણ અલગ અલગ જગ્યાએથી પાણીનાં સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીમાં ઉપરવાસમાંથી […]
બારડોલી તાજપોર રોડ પરથી બાયો ડિઝલ ઝડપાયું
બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં આવેલી અમીધારા રાઈસમિલના કમ્પાઉન્ડમાંથી સુરત જિલ્લા એલ.સી.બી.એ શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 13 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમને જિલ્લામાં ગેરકાયદે બાયોડિઝલ વેચવાનો વેપલો અટકાવવા માટે અલગ અલગ વાહનોમાં બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં […]
માંગરોળ – ઉમરપાડામાં આવાસ પત્રનું વિતરણ કરતાં ગણપત વસાવા
સૌને ઘરનું ઘર મળી રહે તેવા આશયથી વન, આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા(GANPAT VASAVA)એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માંગરોળ(MANGROL) તાલુકાના રૂા.૪.૫૨ કરોડના ખર્ચના ૩૭૭ આવાસો તથા ઉમરપાડા(UMERPADA) તાલુકાના રૂ.૧૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૦૯૪ જેટલા આવાસોના લાભાર્થીઓને મંજુરીપત્રોનું વિતરણ કર્યું હતું.વાંકલ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, દરેક વ્યકિતને જીવનમાં […]