સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે બારડોલી(BARDOLI) તાલુકા પંચાયત કચેરીના પટાંગણ ખાતે મા અમૃત્તમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા આધારકાર્ડ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકો(CITIZEN)ને જરૂરી સરકારી સેવાઓ ઘરઆંગણે ઝડપથી અને સરળતાથી મળી રહે એ માટે સમગ્ર વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ સેન્ટરમાં બારડોલી તાલુકાની ૭૬ જેટલી ગ્રામ પંચાયતના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો નવા આધારકાર્ડ અથવા તેમાં સુધારો-વધારો તેમજ મા અમૃતમ્ કાર્ડ નવું તથા રિન્યુની કામગીરી સરળતાથી કરાવી શકશે.
Related Articles
ઉમરપાડા અને કેવડી ખાતે 3 કરોડના ખર્ચે પ્રોસેસિંગ યુનિટ બનશે
સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા એગ્રો પ્રોસેસિંગ યુનિટનું વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ વેળાએ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ વેળાએ મંત્રી વસાવાએ જણાવ્યું હતું […]
મોસાલી વેલફેર ટ્રસ્ટનું ઉમદા કાર્ય
માંગરોળના મોસાલી(MOSALI)મુકામે વેલફેર ટ્રસ્ટના મોસાલીના ટ્રસ્ટી મક્સુદભાઈ માંજરા(MAKSUD MANJRA) (લાલભાઈ ), કાસીમ જીભાઈના સહયોગથી મૈયત માટે ગુસલખાનું કે જ્યાં બધી સુવિધાઓ સાથે ફ્રીમાં ગુસલ તેમજ સામાન આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ધર્મના લોકો માટે ફ્રીમાં સાર્વજનિક વાતાનુકૂલિત શબપેટીની પણ વ્યવસ્થા આ સ્થળ પર કરવામાં આવી છે. આ વાતનુકૂલિન શબપેટી મૈયત માટે પોતાના ઘરે પણ લઈ […]
ઉમરપાડાના ચોખવાડા ખાતે કપાસ પાક પરિસંવાદ યોજાયો
સુરતના મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને SRL પ્રોજેકટ-કેર ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો.એસ.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ‘કપાસ પાક પરિસંવાદ’ યોજાયો હતો. જેમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લઈને કપાસ વાવેતરની આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી.નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.સી.કે.ટીંબડીયાએ […]