ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,36,78,786 થઈ ગઈ છે. જ્યારે, સક્રિય કેસ ઘટીને 2,99,620 થઈ ગયા છે. જે છેલ્લા 191 દિવસમાં સૌથી ઓછા છે. એમ આરોગ્ય મંત્રાલયે સોમવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 276 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,47,194 પર પહોંચી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસો કુલ કેસનો 0.89 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.78 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 3,856 કેસોનો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં સતત 92 દિવસથી દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.24 ટકા નોંધાયો છે. જે છેલ્લા 28 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 1.94 ટકા નોંધાયો છે. જે છેલ્લા 94 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.
Related Articles
કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા
વિતેલા કેટલાક દિવસથી સતત ચર્ચામાં રહેલા ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર(MAHARASTRA)ના મજબૂત નેતા અને કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમને સારવાર માટે મુંબઇની લિલાવતી હોસ્પિટલ (LILAVATI H0SPITAL) માં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. તેમની તબિયત લથડવાના સમાચાર વહેતા થતાં જ તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં […]
IPLની બાકીની મેચો સપ્ટેમ્બરમાં UAEમાં રમાડાશે
કોરોના સંક્રમણના કારણે અધુરી રહેલી આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાડવામાં આવશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી છે. બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં ઉપરોક્તનિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી.જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન રમાડવામાં આવશે.આ પહેલાએપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી […]
વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ્સમેન કોરોના પોઝિટિવ
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાનખેડે ખાતે કુલ 19 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સ છે, જેમનો ગયા અઠવાડિયે RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાંથી 26 માર્ચના રોજ 3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 1 એપ્રિલે અન્ય 5 પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું […]