બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેને લીધે નાના મોટા વાહનોને મેલા પાણીમાંથી મજબૂરીમાં પસાર થવું પડે છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોવાથી ભારોભાર યાતનાઓ પડી રહી છે. જોકે છેક ધકવાડાથી આવતી આ મેલા પાણીની કાસ રેલવે અંડરગ્રાઉન્ડ થઈ સ્ટેશન ખાડા માર્કેટને લાગીને વાઘરેચ સુધી જાય છે તે કાસમાં બેશુમાર કચરો હોવાથી પાણીનો ઝડપથી નિકાલ નહીં થવાને કારણે રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં બે દિવસથી વરસાદ નહીં હોવા છતાં પાણી ઓસરતાં નથી. બીલીમોરા નગરપાલિકા તેના વિસ્તારમાંથી પસાર થતી આ મેલા પાણીના નિકાલની ખુલ્લી કાસમાં જામેલો બેસુમાર કચરો સાફ કરાવીને પાણીનો માર્ગ મોકળો બનાવે કે જેથી રેલવે અન્ડર ગ્રાઉન્ડ કે અન્ય ભાગોમાં પાણીનો જમાવડો લાંબા સમય સુધી રહે નહીં. લાંબા સમય સુધી ગોધાઇ રહેતા આ મેંલાં પાણીને કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.
Related Articles
બીલીમોરામાં એસટી મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ
બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરનાં ડો.રાજેન્દ્ર ગઢવી, ડો. નિરાલી નાયક અને ગણદેવી આરોગ્ય વિભાગના સુપરવાઈઝર પ્રકાશ પટેલની દેખરેખ હેઠળ રેલવે સ્ટેશન અને એસટી ડેપો ઉપર મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું હતું. આરોગ્યની ટીમે અનેક મુસાફરોનું થર્મલ ગન વડે ટેમ્પરેચર ચકાસણી, માસ્ક અવરનેશ અને સેનિટાઈઝેશન કરાયું હતું. દિવસભરની ડ્રાઈવ બાદ પણ કોઈ શંકાસ્પદ કેસ ન […]
ગણદેવીનો વેંગણિયા પુલ પાણીમાં ગરકાવ
બીલીમોરાથી ગણદેવી જતાં વેગણીયા નદી ઉપર બનેલા વેગણિયા પુલ પાણીમાં ગરકાવ થયો હતો. જેથી કાત્રક વિલા વિસ્તારના 250 પરિવારો પ્રભાવિત થયા હતા. તો ત્યાં નેરોગેજ રેલવે પુલ નીચે પાણી ફરી વળ્યા હતા. ગણદેવીથી દેસાડ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા હાલાકી વધી હતી. બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળતા પૂર્વ-પશ્ચિમનો વ્યવહાર પ્રભાવિત […]
ડાંગના બારદા ધોધમાં ડૂબી ગયેલા વકીલપુત્રનો મૃતદેહ મળ્યો
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચનખલ ગામ નજીકનાં બારદા ધોધમાં ડૂબી ગયેલા સરકારી વકીલનાં પુત્રની આખરે ભાળ મળી. આહવાનાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ગત તા.20-08-2021નાં રોજ બપોરે ચારેક વાગ્યે, ચનખલ ગામના અગ્રણી અને સરકારી વકીલ તરીકે સેવારત મહેશ પટેલનો યુવાન દીકરો મલય પટેલ (ઉ.વ. આશરે 20 વર્ષ) તેના કેટલાક મિત્રો સાથે […]