ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવા મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ જેહાદના કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિના પરિણામે ઉગામ્યું છે. આ અમારો પોલિટિકલ એજન્ડા નહીં પણ દુરવવ્હાર પ્રત્યે અમારી વ્યથા છે. તેને વ્યવસ્થામાં પરિવર્તિત કરી બહેન-દિકરીઓ સાથે વિશ્વાસઘાત કરી રસ્તે રઝળતી મુકી દેતા તત્વો સામે કડકાઈથી પગલા લેવાના દ્રઢ નિર્ધાર સાથે આ કાયદો સરકાર વિધાનસભામાં લાવી છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહયું હતું. આજે વિધાનસભામાં લવ જેહાદ્દ વિરોધી વિધેયક સાંજે પસાર કરાયું હતું. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં જાડેજાએ કહયું હતું કે ધર્માંતરણ એ આગામી સમયનું રાષ્ટ્રાંતરણ છે, માટે તેને અંકુશમાં લેવું અત્યંત અનિવાર્ય છે. આજે કેટલાક ધાર્મિક ગુરૂઓ અને આકાઓના ઈશારે આતંકવાદી ગતિવિધિઓને વેગ આપવા ધર્માંતરણના નામે જેહાદી તત્વોનું વૈશ્વિક ષડયંત્ર ચાલી રહ્યું છે. તેને અમે ક્યારેય સાંખી લઈશું નહી.
Related Articles
ઇજનેરી-ફાર્મસીના પ્રવેશ માટેની ગુજકેટ 6 ઓગસ્ટે લેવાશે
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી ઇજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગ્રુપ –એ, ગ્રુપ બી અને ગ્રુપ એ-બીના વિદ્યાર્થીઓની ગુજકેટ 6 ઓગસ્ટ 2021ને શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 10 થી 4 વાગ્યા સુધી લેવામાં આવશે. ગુજકેટ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માળખું પણ જાહેર કરાયું છે. જેમાં 70 ટકા […]
એક જ અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ આવશે
કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં […]
બાકી લેણા મુદ્દે પાલ મંડળીમાં સભાસદોએ રિકવરી માટે મચાવ્યો હોબાળો
ગઇકાલે જ હજી પાલ કોટન મંડળીની સભા પૂર્ણ થઇ હતી અને તેના બીજા જ દિવસે એટલે કે 2જી ઓગસ્ટના રોજ પાલ કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભામાં હોબાળો મચી ગયો હતો. ખેડૂતોના કપાસના બાકી લેણાના મુદ્દે આ હોબાળો મચ્યો હોવાનું જાણવા મળે છે. ઓલપાડ ચોર્યાસી તાલુકાના ખેડૂતોને મહત્ત્વકાંક્ષી એવી ધી પાલ ગ્રુપ કો-ઓ.કોટન સેલ સોસાયટી જહાંગીરપુરાની […]