પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાના દર્દીઓના સંબંધીઓને વહેંચ્યા હતા. જેની સામે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને પાટીલ સામે પગલા ભરવાની દાદ માંગી હતી.આજે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે રીટની પ્રાથમિક સુનાવણી બાદ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી, આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, કલેકટર સુરત અને પોલીસ કમિશનર સુરત અને ડ્રગ ઈન્સ્પેકટર સામે કારણદર્શક નોટિસ કાઢી વધુ સુનાવણી 5મી મે સુનાવણીના રોજ રાખી છે.પરેશ ધાનાણી તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવી રજૂઆત કરી હતી કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પાસે 5000 રેમડેસિવિર ઈન્જેકશન કેવી રીતે આવ્યા ? તેની તપાસ થવી જોઈએ. આ સમગ્ર ઘટના અંગે ડ્રગ્સ કમિશ્નર દ્વારા તપાસ હાથ ધરીને તેનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપવો જોઈએ. પાટીલ સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટ, ફાર્મસી એકટ, ડ્રગ્સ કંટ્રોલ એકટ અન્વયે પગલા લેવા જોઈએ. જસ્ટિસ સોનીયા ગોકાણી અને જસ્ટિસ વૈભવ નાણાવટીની ડિવીઝન બેન્ચે એક તબક્કે એવી પૃચ્છા કરી હતી કે સી આર પાટીલ સામે થયેલી ફરિયાદના મામલે શું પગલા લેવાયા ? તેના સંદર્ભમાં વિગતો રજૂ કરવી , જેથી કરીને કોર્ટ આગામી સુનાવણી વખતે યોગ્ય નિર્ણય લઈ શકે.
Related Articles
કાપોદ્રામાં રામદેવમંદિરના મુદ્રે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર ડિમોલિશન થયા બાદ મૌખિક રીતે સત્તાધીશોએ જમીન ફાળવવાની વાત કરી હતી. જો કે, હજી સુધી જગ્યા ન ફાળવતાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરાયો છે. વરાછા ઝોન આફિસના પાર્કિંગમાં ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર મહાનગરપાલિકા દ્વારા […]
ધો. 12માં માસ પ્રમોશન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી
કોરોનાની ૨જી લહેરમાં કેસો વધી જતાં રાજ્ય સરકારે ધો-૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જોકે, સરકાર ધો-૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના મૂડમાં નથી. આગામી નજીકના દિવસમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર પરીક્ષા લેવા માટે યોગ્ય વિચારણા કરીને કાર્યક્રમ જાહેર કરી શકે છે. શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે હાલમાં ધો-૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન […]
ધો.૩ થી ૧૦ અને ધો.૧૨ના 51 વિષયોના પુસ્તકો બદલાયા
રાજયમાં નવા શૈક્ષણિક સત્રથી ધો- ૩થી ૧૦ અને ધો -૧૨ના જદા જુદા વિષયોના પુસ્તકો બદલાયા છે, આ બદલાયેલા પુસ્તકો પણ પ્રિન્ટ થઈને આવી ગયા છે. ૫૦ જેટલા પુસ્તકો બદલાયા છે. જેમાં ધો- ૧૨ના ૧ વિષયના, ધો-૧૦માં ૧, ધો -૯માં ૫ પુસ્તકો, ધો -૮માં ૨ પુસ્તકો, ધો-૭માં ૩, ધો -૬માં ૨, ધો-૫માં ૨, ધો – ૪ના […]