ગણદેવી તાલુકાના એંધલ ગામના આહિર વાસમાં રહેતા ૫૫ વર્ષીય જયંતીભાઈ મનુભાઈ આહીરે ધમડાછા ગામે આવેલી અંબિકા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. અહીંના પુલ પાસેના નદીના પાણીમાંથી શુક્રવારે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના કાકાએ ગણદેવી પોલીસને જાણ કર્યા મુજબ મૃતક જયંતીભાઈ મનુભાઈ આહિર આહિરવાસ ખાતે રહે છે અને લગભગ આઠ વર્ષથી જીભમાં કેન્સર થયું હોવાથી ચાલતી હતી. કેન્સરની બીમારીથી તેઓ ખૂબ કંટાળી ગયા હતા. જેથી તારીખ 11- 6 -21ના રોજ રાત્રે ધમડાછા ગામે પહોંચી અહીંની અંબિકા નદીમાં કૂદી પડી આત્મહત્યા કરી લીધી છે. ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
Related Articles
ગણેશોત્સવમાં ડીજે વગાડવા દેવા વ્યારા ભાજપની માગ
વ્યારા નગર ભાજપ સંગઠન દ્વરા ગણેશજીના આગમન તથા વિસર્જન દરમ્યાન ડી.જે. તથા વાજીંદ્રો વગાડવાની પરવાનગી આપવા જિલ્લા અધિક નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યુ હતુ કે આગામી સપ્તાહ દરમ્યાન ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોઈ, સંપુર્ણ તાપી(TAPI) જીલ્લામાં તેમજ વ્યારા શહેરમાં આનંદ અને ઉત્સાહભેર સાથે આ પ્રસંગની ઉજવણી થનાર છે. સમગ્ર ઉત્સવ […]
સોનગઢમાં ધોળે દિવસે રૂપિયા 1 લાખની લૂંટ
સોનગઢ(SONGHAD)ના બંધારપાડા-સરૈયા રોડ પર ધમોડી ગામે ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મોપેડ પર જઈ રહેલ મહિલાને આંતરી મોટરસાઇકલ પર એક જ મોટરસાઇકલ પર આવેલા ત્રણ લુંટારાઓએ મહિલાની આંખોમાં મરચાની ભૂકી નાંખી રૂપિયા એક લાખથી વધુની રકમ લૂંટી ભાગી છૂટ્યા હતા.ખાનગી બેંકમાં કામ કરતી મહિલા કર્મચારી ગ્રાહકો પાસેથી રૂપિયા એકત્રિત કરી બંધારપાડા-સરૈયા રોડ થઇ પોતાની […]
વાલોડના ગોડધામાં લટાર મારતો દીપડો પકડાયો
વાલોડના ગોડધા ગામે માહ્યાવંશી ફળીયામાં માવજીભાઇનાં ખેતરમાં છેલ્લા ઘણા સમયથી લટાર મારતા દિપડાને પકડવા જંગલખાતાએ આશરે અઠવાડીયા પહેલા મુકેલ પાંજરામાં અઢી વર્ષીય દિપડી પુરાતા સ્થાનિક ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો છે. દિપડાના પંજાના નિશાન નજરે પડતાં માનવ વસવાટ તથા ખેતરોમાં દિપડો દેખાતાં હોવાને લીધે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો. માહ્યાવંશી ફળિયા નજીક ખેતરોમાં શેરડીનો પાક ઊભો હોવાથી […]