વાંસદાના ધરમપુરી ગામમાં વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરી અને આજુબાજુના ગામના ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં વિના મુલ્યે દવા આપી ડોક્ટરો દ્વારા તંદુરસ્તી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામીત સમાજના પ્રમુખ અને આદિવાસી મોરચાના મહામંત્રી અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં લોકો ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, જે લોકો આર્થિક રીતે નબળા છે. એવા લોકોને આવા કેમ્પથી ઘણો લાભ મળે છે. કાર્યક્રમમાં વનવાસી કલ્યાણ ટ્રસ્ટના મંત્રી હરીશભાઇ, ગુણવંતભાઈ ગામીત, સરપંચ જગદીશભાઈ ગામીત, વિજય થોરાટ, ડો.અજીત સોની, ડો.રતિભાઈ ભરતીયા, ડો.ભરતભાઈ ઠાકોર હાજર રહ્યાં હતાં.
Related Articles
ચીખલીમાં અઢી ઇંચ વરસાદ, ફડવેલમાં મકાન તૂટ્યું
ચીખલી પંથકમાં વધુ અઢી ઇંચ વરસાદ સાથે ઉપરવાસમાં સતત વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની સ્થિતિ યથાવત રહી હતી. ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભર ચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ચીખલી તાલુકામાં રાત્રિ દરમ્યાન ચીખલી તથા ઉપરવાસમાં સતત વરસાદથી અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીમાં ચીખલીમાં 14 ફૂટ સપાટીએ […]
ગણદેવીના કછોલીમાં કેરી ચોરવા બાબતે બબાલ, પોલીસનું ફાયરિંગ
ગણદેવી તાલુકાના કછોલી ગામે કેરી ચોરી મામલે હળપતિઓ અને અનાવિલો વચ્ચે ગંભીર બબાલ થતાં મામલો થાળે પાડવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જો કે વળતાંમાં ટોળાંએ પથ્થરમારો કરતાં જિલ્લા પોલીસ વડા, તેમના કમાન્ડો અને બીલીમોરાના પીએસઆઇને ઇજા થતાં પોલીસે હવામાં 4 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. એ બાદ જિલ્લાની પોલીસ ખડકી દેવાઇ છે. પોલીસે એ બાદ […]
ખેરગામના ભૈરવીના શનિદેવ મંદિરમાં ભજનની રમઝટ
ખેરગામ(KHERGAM)તાલુકાના ભૈરવી ગામે ઔરંગા નદીના કિનારે આવેલા શનિદેવ મંદિર(TEMPLE) ખાતે શ્રાવણના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસ નિમિત્તે ભૈરવી હનુમાન ફળીયા મિત્ર મંડળ દ્વારા ભજન કિર્તનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ફળીયા યુવાનોએ ઉત્સાહભેર ભાગ ભજનોની રમઝટ બોલાવી હતી. હનુમાન ફળીયા મિત્ર મંડળના યુવાનોને સુંદર ભજનોની ધૂંનથી લોકોમાં આકર્ષણ હતું.ખેરગામ તાલુકાનું શનિધામમાં પવિત્ર શ્રાવણ માસ […]