બીલીમોરાથી વઘઇને જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની આજે બીજા દિવસે બોગી (ડબ્બાઓ) સાથેની ટ્રાયલ શરૂ થતા ડાંગ પંથકમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. ડાંગ જિલ્લામાં અંગ્રેજોનાં સમયમાં ઇમારતી લાકડા સહીત અન્ય વસ્તુઓ બીલીમોરા સુધી લઈ જવા માટે માલવાહક નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અગાઉ ખનીજ કોલસા પર સંચાલિત આ બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન આદિવાસી વસાહત માટે નવલા નજરાણાની સાથે ઐતિહાસિક ધરોહર સમાન બની હતી. પરંતુ થોડા સમય અગાઉ ટ્રેન આર્થિક રીતે ખોટ સાલતી હોવાનું કારણ બતાવી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ટ્રેનનાં બંધનાં નિર્ણયને લઈને બીલીમોરાથી વઘઇ ડાંગ સુધી નારાજગી વ્યાપી જવા પામી હતી અને આગેવાનોએ આ ટ્રેનને ફરીથી ચાલુ કરવા માટે સરકારમાં રજૂઆત કરી હતી. કોરોનાની મહામારીમાં લોકડાઉનનાં સમયથી બંધ હાલતમાં પડેલી વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની આજે બીજા દિવસે ડબ્બા(બોગીઓ)જોડે ટ્રાયલ લેવાતા આદિવાસી વિસ્તારનાં લોકોની આ ટ્રેન પુન: શરૂ થવાની આશા જીવંત બની છે. અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નેરોગેજ ટ્રેન અચાનક બંધ થઈ જતા આ ટ્રેન ઇતિહાસ બની જવાની શક્યતા વચ્ચે આ વિસ્તારની જનતામાં પરિવારનો એક સભ્ય ગુમાવવાનાં ડર સાથે નારાજગી જોવા મળી હતી. વઘઇથી બીલીમોરાને જોડતી છુક છૂક ટ્રેન માટે આંદોલનો થયા, રજૂઆતો થઈ, શાસક-વિપક્ષનાં એમ બન્ને પાર્ટીઓએ આ ટ્રેન ચાલુ કરવા માટે રસ દાખવ્યો. જેના ફળસ્વરૂપે આ ટ્રેન પુન: શરૂ કરવાની તૈયારી પુરજોશમાં થઈ રહી છે. વઘઇ-બીલીમોરા ટ્રેનમાં ગતરોજ માત્ર એન્જીન સાથે ટ્રાયલ મારવામાં આવી હતી. જ્યારે આજરોજ પાંચ બોગી ડબ્બાઓ સાથે ટ્રેનની સફર જોવા મળી હતી. મહિનાઓ બાદ ટ્રેનનો હોર્ન સાંભળી આદિવાસી લોકોમાં ખુશી જોવા મળી હતી. અને લોકો કેમેરામાં ફોટોગ્રાફ કાંડારવા લાગ્યા હતા. આદિવાસી વિસ્તારની આ નેરોગેજ ટ્રેન હવે ગણતરીનાં દિવસોમાં જ મુસાફરો સાથે દોડશેનું જણાતા ખુશી વ્યાપી જવા પામી છે.
Related Articles
ચીખલી કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રા અને યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકાભરમાંથી કોંગ્રેસના કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં 18 બોટલ જેટલુ રકત એકત્ર થયું હતું. ધારાસભ્ય અનંત પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ, મહુવાના પૂર્વ ધારાસભ્ય ઇશ્વરભાઇ વહિયા, મહિલા મોરચાના પ્રમુખ […]
વાંસદામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વાંસદા તાલુકાના કુકડા સમાજ ભવન ખાતે વાંસદા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ૧૯૯૪થી યુનો અને બુધ્ધિજીવી વર્ગ દ્વારા ઘોષિત કરવામાં આવી હતી. પ્રકૃતિ અને વન પર્યાવરણને બચાવવા માટે આદિવાસી લોકોની જીવન શ્રેણી અપનાવવા માટેની વાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વાંસદાના કુકડા સમાજ ભવનમાં વાંસદા ચીખલીના […]
ચીખલીમાં સાર્વત્રિક વરસાદથી નદીઓ બે કાંઠે
ચીખલી પંથકમાં વધુ ત્રણ ઇંચ વરસાદ વરસતા લોકમાતાઓ બંને કાંઠે વહેવા લાગી હતી. રાત્રિ દરમ્યાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અંતિમ તબક્કામાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા મેઘરાજા મંગળવારની રાત્રે આક્રમક મૂડમાં જણાતા હતા અને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો […]