વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં ગણેશ મહોત્સવનો શુક્રવારે ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયો છે. વિઘ્નહર્તાની મૂર્તિઓની કોરોના ગાઇડલાઇન સાથે જાહેર સ્થળોએ તેમજ ઘરેઘરે સ્થાપના કરાઇ છે. ગણપતિ બાપા મોરયાના નાદ સાથે વાજતેગાજતે અને ભક્તિભાવપૂર્વક તાપી જિલ્લામાં 103થી વધુ નાની ગણપતિ બાપાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાની મહામારીને લઈ વિઘ્નહર્તાની ઉજવણીને જ ગ્રહણ નડ્યું હતું. જેથી આ વર્ષે છૂટછાટને લઈ સમગ્ર તાપી જિલ્લામાં ગણેશજીના પંડાળ-મંડપ જોવા મળી રહ્યા છે. આ વર્ષે સંક્રમણ હળવું થતાં અને થોડીઘણી છૂટછાટો મળતાં ગણેશ મહોત્સવના આયોજનથી ભાવિકોનાં હૈયાં હરખાઇ ઊઠ્યાં છે. દરરોજ સવાર-સાંજ આરતી, ધૂન, ભજન, સંગીત સહિતના ભક્તિના કાર્યક્રમો યોજાશે. છેલ્લે દિવસે વાજતેગાજતે વિસર્જન યાત્રા યોજી અશ્રુભીંની આંખે ભક્તો દ્વારા સમાપન કરાશે.
Related Articles
ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડને માન્યતા
આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણયના કારણે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં બાદ મળશે, કાર્ડ ધરાવતાં પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ […]
અમારા પર જૂતા ફેંકનારાઓ પર હવે જૂતા પડી રહ્યાં છે : નીતિન પટેલ
ગઈકાલે વિસાવદરની ઘટનામાં આપના મહેશ સવાણી અને ઈશુદાન ગઢવી પર થયેલા હુમલાની ઘટના બાદ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. અમદાવાદમાં વિવિધ સમારંભો દરમ્યાન આજે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભૂતકાળમાં જે લોકોએ અમારા નેતા પર જૂતા ફેંકયા હતા, આજે તેમના પર પડી રહયાં છે . અમદાવાદમાં 152 કરોડના […]
ગુજરાતમાં લેન્ડગ્રેબિંગ હેઠળ 345 ગુના
રાજયમાં અમલી બનેલા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વિવિધ જિલ્લાઓમાં 345 જેટલી FIR દાખલ કરી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 6884 હજારથી વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આ અરજીઓમાં સરકારી અને ખાનગી મળી કુલ 28 કરોડ […]