ભારત સરકારના નવનિયુક્ત રાજ્યકક્ષાના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશની જન આશીર્વાદ યાત્રા આજે નવસારી જિલ્લામાં આવી પહોંચી હતી. નવસારી જિલ્લાના પ્રવેશદ્વાર બલવાડા ગામ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ઉપસ્થિત રહી યાત્રામાં જોડાયા હતા. જન આશીર્વાદ યાત્રાનું બીલીમોરા શહેર અને ગણદેવી શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા નવસારીના બી.આર. ફાર્મ ખાતે પહોંચી હતી. જ્યાં સભામાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લામાં વિવિધ સમાજ અને વેપારી મંડળ દ્વારા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશનું અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે સભાને સંબોધી હતી. આ તબક્કે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી ઉષાબેન પટેલ, રણજીતભાઈ ચીમના ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ ,ભગુભાઈ પટેલ અને જીગ્નેશભાઈ નાયક તેમજ જિલ્લાના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
ગણદેવી પોલીસે ખારેલ ઓવરબ્રિજ પાસેથી દારૂ સાથે ઇનોવા ઝડપી લીધી
નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રીજ પાસેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે ૨૫ હજારના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રીજ પાસેથી એક સિલ્વર રંગની ટોયોટા ઇનોવા કાર (નં. જીજે-15-બીબી-1910) […]
બીલીમોરાના રેલવે ગરનાળામાં વ્યાપક ગંદકી
બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેને લીધે નાના મોટા વાહનોને મેલા પાણીમાંથી મજબૂરીમાં પસાર થવું પડે છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોવાથી ભારોભાર યાતનાઓ પડી રહી છે. જોકે છેક ધકવાડાથી આવતી આ મેલા પાણીની કાસ રેલવે અંડરગ્રાઉન્ડ થઈ સ્ટેશન ખાડા માર્કેટને લાગીને વાઘરેચ […]
ડાંગના બારદા ધોધમાં ડૂબી ગયેલા વકીલપુત્રનો મૃતદેહ મળ્યો
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચનખલ ગામ નજીકનાં બારદા ધોધમાં ડૂબી ગયેલા સરકારી વકીલનાં પુત્રની આખરે ભાળ મળી. આહવાનાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ગત તા.20-08-2021નાં રોજ બપોરે ચારેક વાગ્યે, ચનખલ ગામના અગ્રણી અને સરકારી વકીલ તરીકે સેવારત મહેશ પટેલનો યુવાન દીકરો મલય પટેલ (ઉ.વ. આશરે 20 વર્ષ) તેના કેટલાક મિત્રો સાથે […]