એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે એનસીપી નેતા અનિલ દેશમુખ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી છે જેમણે આ વર્ષે એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપ્યુ હતું. 100 કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આ નોટિસ જારી કરાઈ છે, આ કેસના કારણે તેમને પોતાનો પદ છોડવાની ફરજ પડી હતી. દેશમુખને દેશ છોડીને જતા અટકાવવા લુકઆઉટ નોટીસ જારી કરાયુ છે, એમ ઈડીના સૂત્રોએ કહ્યુ હતું. તપાસ સંસ્થાએ તેમને કેટલાંક સમન્સ જારી કર્યા હતા પણ તેઓ સંસ્થાના અધિકારીઓ સામે હાજર રહ્યા ન હતાં. આ કેસમાં તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તે માટેની અરજી સર્વોચ્ચ અદાલતમાં તેમણે દાખલ કરી હતી જેને અદાલતે નામંજૂર કરી હતી. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે 71 વર્ષીય નેતા પર આરોપ લગાવ્યા હતા કે તેમણે 100 કરોડની લાંચ ભેગી કરવા કહ્યુ હતું તેના આધારે સીબીઆઈએ ભ્રષ્ટાચારનો એક કેસ દાખલ કર્યો હતો જેના આધારે ઈડીએ દેશમુખ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જો કે દેશમુખ સતત કહી રહ્યા છે કે તેમણે કોઈ ગેરકાયદે કામ કર્યુ નથી.
Related Articles
મમતાની બંગાળમાં જીત, કેરળ, તામિલનાડુમાં પણ ભાજપનો પરાજય
કોરોનાની મહામારી વચ્ચે રવિવારે દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. આ જંગમાં સૌથી વધુ નજર હતી ત્યાં પશ્ચિમ બંગાળન મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે હરીફ પક્ષ ભાજપને કારમો પરાજય આપીને સતત ત્રીજી વખત સત્તા હાંસલ કરવા જઇ રહ્યો છે. બીજી બાજુ ભાજપે આસામમાં સત્તા જાળવીને આબરૂ બચાવી લીધી […]
અફઘઆનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની યુએઇમાં હોવાનો ખુલાસો
સંયુક્ત અરબ અમીરાતનું કહેવું છે કે, તેમણે ‘માનવતાવાદી કારણો’ માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારને સ્વીકાર્યા છે. તાલિબાની કાબુલ નજીક પહોંચ્યાની સાથે જ ગની અફઘાનિસ્તાનથી દેશ છોડીને ભાગી ગયા હતા. યુએઈની સરકાર સંચાલિત ડબ્લ્યુએએમ ન્યૂઝ એજન્સીએ બુધવારે આપેલા નિવેદનમાં તે નથી જણાવવામાં આવ્યું કે, ગની દેશમાં કઈ જગ્યાએ છે. તેમણે દેશના વિદેશ મંત્રાલયને […]
મેહુલ ચોક્સીના અપહરણમાં ભારતીય ગુપ્તચર એજન્સીનો હાથ : વકીલનો આક્ષેપ
ભારતના મોસ્ટ વોન્ટેડ પૈકીનો એક અને પંજાબ નેશનલ બેંકમાં 1300 કરોડ ઉપરાંતનો ગોટાળો કરનાર હીરા વેપારી મેહુલ ચોક્સીના વકીલે હવે નવો દાવ ફેંક્યો છે. તેણે એવો આક્ષેપ કર્યો છે કે, મેહુલ ચોક્સીનું અપહરણ ભારતીય ગુપ્તચર સંસ્થા દ્વારા જ કરાવવામાં આવ્યું હતું. જો કે, તેના આ આક્ષેપ અંગેના કોઇ પૂરાવા તેના દ્વારા રજૂ કરવામાં આવ્યા નથી. […]