વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે એક વાગ્યે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં ધો. 12ની પરીક્ષા નહીં લેવાના નિર્ણયની જાહેરાત પ્રેસ કોન્ફોરન્સ યોજીને કરી હતી.
Related Articles
હવે મ્યુરકરમાઇકોસિસની સાથે ગેંગરીનના કેસ
ગુજરાતમાં મ્યૂકોરમાઈકોસસિસના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે તેની સારવાર માટે ઉપયોગી એવા એમ્ફોટેરિસીન ઈન્જેકશનની તંગીના કારણે દર્દીઓને હાલાકી ભોગવી પડી રહી છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 17330 જેટલા ઈન્જેકશન ફાળવવામાં આવ્યા છે. આ ઈન્જેકશન દર્દીઓને જુદી જુદી સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મ્યૂકોરમાઈકોસિસના 3504 જેટલા કેસો નોંધાયા છે. જયારે આ […]
વિદેશને પણ ટક્કર મારે તેવું ગાંધીનગરનું રેલવે સ્ટેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન”ના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસ પ્રોજેકટનું પણ લોકાર્પણ કરશે . વડાપ્રધાન મોદી 16મી જુલાઈએ બપોરે ૪ વાગ્યે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. […]
મોરવાહડફની પેટા ચૂંટણીમાં ભાજપનાં નિમિષા સુથારની જીત
ગુજરાત વિધાનસભાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાયા બાદ રવિવારે થયેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો ૪૫૪૩૨ મતોથી વિજય થયો હતો. ગાંધીનગરમાં ચૂટણી પંચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે મોરવા હડફ બેઠક ર ભાજપના નિમિષાબેન સુથારને ૬૭૧૦૧ મતો મળ્યા હતા. જ્યારે કોંગીના સુરેશ કટારાને ૨૧૬૬૯ મતો મળ્યા હતા. જેના પગલે કટારાએ પોતાની હાર […]