વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે એક વાગ્યે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં ધો. 12ની પરીક્ષા નહીં લેવાના નિર્ણયની જાહેરાત પ્રેસ કોન્ફોરન્સ યોજીને કરી હતી.
Related Articles
રાજ્યમાં કોરોનામાં 174નાં મોત
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 14,120 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 174 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, આજે અમદાવાદશહેરમાં 26 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 174 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 6830 થયા છે. સુરતશહેરમાં 16, અમદાવાદશહેરમાં 26, વડોદારમાં 11, રાજકોટમાં 9, જામનગરમાં 14, જૂનાગઢમાં […]
પાલનપુરના રતનપુર પાસે અકસ્માતમાં 4ના મોત
પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજો પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી […]
ગુજરાતમાં ચોમાસાનો કરંટ, કપરાડામાં 2 ઇંચ વરસાદ
દક્ષિણ – પશ્વિમ ચોમાસું હવે દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી પહોચી ગયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી તા.13મી જૂન સુધીમાં રાજયમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત આગામી તા.13મી જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના સાગરકાંઠે દરિયો તોફાની રહેવા સાથે પ્રતિ કલાકના 45થી 55 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના રહેલી છે […]