મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કેન્દ્રને દિલ્હીમાં મેડિકલ ઑક્સિજન આપવા માટે ‘હાથ જોડીને’ આગ્રહ કર્યો હતો અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, બુધવારે સવાર સુધીમાં ઑક્સીજનનો જથ્થો નહીં મળે તો શહેરમાં અરાજકતા રહેશે. દિલ્હીની હોસ્પિટલોમાં આઈસીયુ બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં માત્ર 30 જ બેડ ઉપલબ્ધ હતા. તેમણે ટ્વિટ કર્યું કે, દિલ્હીમાં ઑક્સિજન સંકટ યથાવત છે. કેટલીક હોસ્પિટલોમાં માત્ર થોડા કલાક પૂરતો જ ઑક્સિજન બાકી છે. બીજા ટ્વિટમાં તેમણે કહ્યું કે, હું કેન્દ્ર સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે, વહેલી તકે દિલ્હીને ઑક્સિજન આપવામાં આવે. દિલ્હીની મોટાભાગની હોસ્પિટલોમાં માત્ર આઠથી બાર કલાકનો ઓક્સિજન બાકી છે. અમે કેન્દ્રને છેલ્લા સાત દિવસથી ઑક્સીજનનો પુરવઠો વધારવા કહીએ છીએ. તેમણે ટ્વિટર પર એક નોટ પણ પોસ્ટ કરી હતી જેમાં વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન સ્ટોકની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નોટ મુજબ લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ, દિન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલ, બુરારી હોસ્પિટલ, આંબેડકર હોસ્પિટલ, સંજય ગાંધી હોસ્પિટલ, બી એલ કપૂર હોસ્પિટલ અને મેક્સ હોસ્પિટલમાં ફક્ત આઠથી બાર કલાકનો ઓક્સિજન બાકી હતો. સર ગંગા રામ કોવિડ હોસ્પિટલે કહ્યું કે, તેમની પાસે માત્ર આઠ કલાકનો ઓક્સિજન બાકી છે. આ હોસ્પિટલમાં 485 બેડ છે, જેમાંથી 475 બેડ ભરેલા છે. જ્યારે, અંદાજિત 120 દર્દીઓ આઈસીયુમાં છે.
Related Articles
હવે ઉત્તર ગુજરાતમાં 1000 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાનો દાવો
સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન દરમિયાન આજે 1000 લોકો જોડાઈ જતાં ભાજપ સહિત રાજકીય પક્ષોને ઝટકો લાગ્યો છે. આપમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાઓ લોકગીતોના સ્વરૂપમાં આપના વખાણ કરતાં ગીતો ગાયા હતા. જેના પગલે લોકો માહિત થઈ ગયા હતા. બનાસકાંઠાના જગાણા ગામે આપ પાર્ટીનું સદસ્યતા અભિયાન સંમેલન યોજાયું […]
PM નરેન્દ્ર મોદીની ગુજરાતને રૂ. 1,000 કરોડની સહાયની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર, અમરેલી, ઉના, ગીર-સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું હવાઈ નિરક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ અમદાવાદમાં સીએમ વિજય રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક હાથ ધરી હતી. આ બેઠક બાદ સાંજે પીએ મોદીએ ગુજરાતને તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1,000 કરોડની […]
સૌરાષ્ટ્રથી કોરોના દર્દીની સેવા કરી સુરત આવતા યુવાનોના અકસ્માતમાં મોત
સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા સુરતના 3 યુવાનની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયનાં ઘટનાસ્થળે મોત નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઈ,કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ […]