શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો વિવાદ હજુ હમણા થયો હતો. ત્યાં શિક્ષણ વિભાગ દ્વારા 6થી 8 કલાક માટે કામ કરવાનો પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે. શિક્ષકો આ પરિપત્ર માટે આંદોલનના માર્ગે ચાલી રહ્યાં છે, તેમાં કોંગ્રેસ પણ જોડાયું નથી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો કે શિક્ષકોના કામ કાજના સમયમાં ઘટાડો કરવો જોઈએ. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઓફિસના કર્મચારીઓ માટે 11થી 5 સુધીનો સમય હોય છે, ત્યારે શિક્ષકોનો સમય સવારે 9.30 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી કરાયો હતો. જો કે કોંગ્રેસના વિરોધ વચ્ચે સરકારે યુ ટર્ન લીધો છે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયું હતું કે શિક્ષકોએ હવે 6 કલાક જ કામ કરવાનું છે.આ બાબતે જે પરીપત્ર કરાયો હતો તે રદ કરી દેવાયો છે.
Related Articles
બે દિવસનું ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
આવતીકાલ તા.27મી સપ્ટે.થી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહયુ છે. જેના પગલે વિધાનસભા સંકુલના ફરતે સલામતી વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર વખતે ભાજપ સરકારની નિષ્ફળતા , જામનગર, રાજકોટ અને જુનાગઢમાં અતિવૃષ્ટિ તેજમ તૌકતે વાવાઝોડાની પણ બાકી સહાય, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વ્રારા નવી ભાજપ સરકારને […]
સૌરાષ્ટ્રથી કોરોના દર્દીની સેવા કરી સુરત આવતા યુવાનોના અકસ્માતમાં મોત
સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા સુરતના 3 યુવાનની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયનાં ઘટનાસ્થળે મોત નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઈ,કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ […]
ગણેશ વિસર્જનના દિવસે સુરતના આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેશે
આગામી તારીખ 19 સપ્ટેમ્બર અને રવિવારના રોજ ગણેશોત્સવના તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ગણપતિની મુર્તિઓનું વિસર્જન કરવા શહેરના જુદાજુદા વિસ્તારમાંથી સરઘસ નીકળતા હોય છે. સુરત શહેરના રાજમાર્ગ ઉપરથી કૃત્રિમ ઓવારામાં ગણપતિજીની મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવનાર છે. આ સંજોગોમાં ટ્રાફિક નિયમન સરળતાથી થાય , કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ […]