ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રા અને યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકાભરમાંથી કોંગ્રેસના કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં 18 બોટલ જેટલુ રકત એકત્ર થયું હતું. ધારાસભ્ય અનંત પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ, મહુવાના પૂર્વ ધારાસભ્ય ઇશ્વરભાઇ વહિયા, મહિલા મોરચાના પ્રમુખ ફાલ્યુનીબેન સહિતનાની ઉપસ્થિતિમાં મજીગામ દિનકર ભવનમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આગામી સમયમાં કોવિડ-19 ન્યાય યાત્રા સંદર્ભે આવનાર સમયમાં દરેક તાલુકાની બેઠક ઉપર ઘરે ઘરે જઇને કોરોનામાં કેટલા લોકો મરણ પામ્યા છે તે પરિવારની મુલાકાત કરી તેમના ફોર્મ ભરાવી સરકાર પાસે મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની સાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવનાર હોવાનું ધારાસભ્ય અનંતભાઇ પટેલે જણાવ્યું હતું.
Related Articles
ખેરગામ વાંસદાના કોંગ્રેસી અગ્રણીઓ ડિટેઇન
ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરના સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધના અપાયેલા એલાનનો ખેરગામ, વાંસદા અને બીલીમોરામાં ફિક્કો પ્રતિસાદ રહ્યો હતો. તેમ છતાં વહેલી સવારથી પોલીસે બીલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10થી વધુને ડિટેઈન કર્યા હતા. સોમવારે ભારત બંધના ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલા એલાનની કોઈ અસર બીલીમોરામાં દેખાઈ ન હતી. જોકે ગણદેવી તાલુકાનું મોટામાં મોટું શહેર […]
ધરમપુર કોંગ્રેસની ટીડીઓને રજૂઆત
ધરમપુર તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં કોઞેસના સભ્યોના મત વિસ્તારમાં એકપણ વિકાસના કામો ન ફાળવતા આજરોજ ધરમપુર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બાલુ સિધા તથા રેખા પટેલ, ધીરુ ઞાવિત સહિત કોંગ્રેસના છ જેટલા સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી એચ.આર. પટેલને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં કોંગ્રેસના સભ્યોએ પોતાના વિસ્તારમાં એકપણ વિકાસના કામોની ફાળવણી ન કરતા વિરોધપક્ષના […]
વાંસદાના ધરમપુરી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન
વાંસદાના ધરમપુરી ગામમાં વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરી અને આજુબાજુના ગામના ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં વિના મુલ્યે દવા આપી ડોક્ટરો દ્વારા તંદુરસ્તી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામીત સમાજના પ્રમુખ અને આદિવાસી મોરચાના મહામંત્રી અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં લોકો ખેતીવાડી […]