આગામી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે ચૂંટણી પંચને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. હવે ધીરે ધીરે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના સંક્રમણ ચાલી રહ્યું હોવાથી ચૂંટણીની પ્રક્રિયામાં કોઇ અડચણ નહીં પહોંચે તે તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરમિયાન સરકારે મંગળવારે અનુપચંદ્ર પાંડેયની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી દીધી છે. તેઓ પૂર્વ આઇએએસ છે. કાયદા મંત્રાલયના વિધાય વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિએ 1984 બેચના નિવૃત અધિકારી અનુપચંદ્રની આ પદ માટે નિમણૂક કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી શુનિલ અરોડાનો કાર્યકાળ 12 એપ્રિલે પૂર્ણ થઇ ગયો છે ત્યાર પછી આ પદ ખાલી હતું. હાલમાં શુશિલ ચંદ્ર મુખ્ય ચૂંટણી અધિકારી છે જ્યારે અન્ય અધિકારી રાજીવ કુમાર છે. 2018માં ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપ કુમારની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેઓ ઓગસ્ટ 2019 સુધી આ પદ પર રહ્યાં હતાં. તેઓ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ યુપીની તકેદારી સમિતીમાં સભ્ય છે અને ઉત્તર પ્રદેશમાં પણ તેઓ અનેક મહત્વના પદ પર રહી ચૂક્યા છે. 37 વર્ષ સુધી તેઓ ઉત્તર પ્રદેશમાં જ જુદા જુદા પદો પર રહી ચૂક્યા છે અને 2019માં ઓગસ્ટમાં તેઓ ઉત્તર પ્રદેશના ચીફ સેક્રેટરીના પદ પરથી નિવૃત થયા છે. આ દરમિયાન તેઓ અનેક જિલ્લાના કલેક્ટર પણ રહી ચૂક્યા છે અને જુદા જુદા વિભાગોના વડા પણ રહી ચૂક્યા છે. આગામી વર્ષમાં આવી રહેલી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે અને આ રાજ્ય કેન્દ્ર સરકાર રચવા માટે ખૂબ જ મહત્વનનું માનવામાં આવે છે જેના કારણે કેન્દ્ર સરકાર હવે અહીંના જાણકાર લોકોને જુદા જુદા પદ પર નિમણૂક આપી રહી છે.
Related Articles
હિમંત બિસ્વા સરમાના આસામના નવા મુખ્ય મંત્રી
આસામમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા મુખ્યમંત્રીના નામના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં રવિવારે હિમંત બિસ્વા સરમાના નામ પર સહમતિ સાધવામાં આવી હતી. હિમંત બિસ્વા સરમા આસામના નવા મુખ્યમંત્રી બનશે. આસામના મુખ્યમંત્રી પદની રેસમાં સર્વાનંદ સોનોવાલ પાછળ રહી ગયા છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનંદ સોનોવાલે જ તેમનું નામ આગળ કર્યું હતું […]
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કોરોનાને આપી માત
કોરોના સંક્રમણને લીધે એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ૮૮ વર્ષીય મનમોહન સિંહને ૧૯ એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. મનમોહન સિંહને હળવો તાવ હતો અને તે બાદ તપાસ કરાવવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી.ડૉ. મનમોહન સિંહ કોરોના […]
ભારતમાં કોરોનાના અનેક કેસ વણશોધાયેલા રહે છે
ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલા કેસની સામે ૩૦ કેસો એવા છે કે જે શોધાયા વગરના રહ્યા છે કે ચુકી જવાયા છે, એમ આઇસીએમઆરના ચોથા સેરો-સર્વેનું એક સ્વતંત્ર રોગચાળાશાસ્ત્રી ડો. ચંદ્રકાંત લહેરીયા દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ જણાવે છે. આ જાહેર આરોગ્ય નિષ્ણાતે પોતાનું વિશ્લેષણ ટ્વીટર પર મૂક્યું છે જેમાં તેમણે દર્શાવ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલ […]