ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકેત બુધવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. આ બંને વચ્ચેની મુલાકાતનું ખૂબ જ રાજકીય મહત્વ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત કોલકાત્તામાં થશે અને આ મુલાકાત દરમિયાન કિસાન આંદોલનને વધુ જલદ બનાવવા પર તેમજ કેન્દ્ર સરકારને ઘેરવાની નિતી પણ બંને વચ્ચે ચર્ચા થાય તેવી સંભાવના છે. આ મુલાકાત અંગે ટિકેતે જાતે જ મીડિયાને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મુલાકાતના કેન્દ્રમાં ખેતી, આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોના મુદ્દા જ ચર્ચામાં રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પશ્વિમ બંગાળની સરકાર અને ત્યાંના ખેડૂતો વચ્ચે સમય સમયે વાતચીત થવી જોઇએ. ઉત્તર પ્રદેશમાં ખેડૂતો અને જિલ્લાના અધિકારીઓ વચ્ચે થતી માસિક બેઠકને સાંધીને તેમણે કહ્યું હતું કે, આ નીતી સમગ્ર દેશમાં લાગુ પડવી જોઇએ. હવે કોરોનાની બીજી લહેર જ્યારે ધીમી પડી છે ત્યારે ખેડૂત આંદોલનને ફરીથી આક્રમક બનાવવા માટે રાકેશ ટિકેત જુદા જુદા રાજ્યોના નેતાઓને મળીને આંદોલન માટે સમર્થન મેળવી રહ્યાં છે. આ પહેલા તેમણે પશ્વિમ બંગાળની ચૂંટણીના સમયે મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. મંગળવારે જ ટીએમસીના મહાસચિવ અભિજીત બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસનો વિસ્તાર અન્ય રાજ્યમાં પણ કરવાની જાહેરાત કરી છે તેના બીજા જ દિવસે આ બંને વચ્ચે બેઠક થઇ રહી છે. મમતા બેનર્જી પણ સમયાંતરે ખેડૂતોના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતા આવ્યાં છે. ટીએમસીના અનેક સાંસદો પણ ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા. એક સમયે ખેડૂતો આંદોલન તેની ચરમસીમા પર હતું પરંતુ કોરોનાની સંક્રમણ વધતા તેની આક્રમકતા ઘટી ગઇ હતી. ખેડૂતો કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની માગ સાથે આંદોલન કરી રહ્યાં છે જે પૈકી ટેકાના ભાવે ખેત પેદાશ ખરીદવાનો કાયદો બનાવવાનો મુદ્દો સૌથી અગત્યનો છે. આ મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવા જોઇએ.
Related Articles
મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપચંદ્ર પાંડેયની નિમણૂક
આગામી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે ચૂંટણી પંચને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. હવે ધીરે ધીરે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના સંક્રમણ ચાલી રહ્યું હોવાથી ચૂંટણીની પ્રક્રિયામાં કોઇ અડચણ નહીં પહોંચે તે તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરમિયાન સરકારે મંગળવારે અનુપચંદ્ર પાંડેયની ચૂંટણી કમિશનર […]
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 31,222 નવા કેસ
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 31,222 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની કુલ સંખ્યા 3,30,58,843 થઈ ગઈ છે. તેમજ સક્રિય કેસ ચાર લાખથી ઓછા નોંધાયા છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું.સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 290 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને […]
મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 100ને પાર
સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયામાં પાંચમી વખત વધારો કરવામાં આવ્યા બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. આ ભાવવધારાના પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના પરભાણીમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને વટાવી ગયું છે. જાહેર ક્ષેત્રની ઈંધણ કંપનીઓ દ્વારા જારી કરાયેલ પ્રાઇસ નોટિફિકેશન મુજબ, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને […]