કોરોના કાળને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ગઈકાલે હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટસ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપ્યા બાદ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આવા સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
Related Articles
ઈન્જેક્શનના કાળા બજારીઓ સામે કડક કાર્યવાહી કરાશે: ડીજીપી
ગુજરાતમાં હાલ કોરોનાનાં કારણે અનેક લોકો સંક્રમિત થયા છે. ત્યારે હવે પોલીસ પણ ત્રીજા વેવ સામે લડવા સજ્જ બની છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે. એવામાં ગુજરાત પોલીસના વડાએ આજે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાત્રિ કર્ફ્યૂ માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.તેની સાથે આખા […]
મ્યુકરમાઇકોસિસ માટેના ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે
પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન […]
બીલીમોરા નજીકના ગોયંડીમાં હકકાયા કૂતરાનો આતંક
બીલીમોરા નજીકના ગોયંડીમાં હડકાયા શ્વાને ગામના 10 થી વધારે લોકોને કરડી ઘાયલ કરતા હડકંપ મચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોયંડી ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામના ઈંટના ભઠ્ઠા ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામના મજૂરને શ્વાને કરડતા તેને 27 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગામની ચાર વર્ષીય બાળકી ઘરના ઓટલા પર બેઠી હતી. […]