સુરત ક્રાઈમ બ્રાંચે શહેરમાં ગુનાઓના આરોપીઓને એક પછી એક દબોચી લેવાનું શરૂ કર્યું છે. ત્યારે કુખ્યાત ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલને હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ સાથે આતંક મચાવનાર કુખ્યાત ગાજીપરા ગેંગનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલ હિમાચલ પ્રદેશથી ઝડપાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલા પુલગા ગામ પાર્વતી વેલી ખાતે આરોપી અલ્તાફ ગફુરભાઇ પટેલ (રહે., ખારવા ચાલ, હનુમાન મંદિરની બાજુમાં, લંબે હનુમાન રોડ, વરાછા તથા મૂળ ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ગાજીપરા સહિત કુલ સાત આરોપીને અગાઉ ઝડપી પાડ્યા હતા. ગેંગનો મુખ્ય આરોપી અલ્તાફ પટેલ સહિત ત્રણ નાસતા ફરતા હતા. હિમાચલ પ્રદેશમાં સામાન્ય રીતે હોટેલોમાં આઈડી પ્રૂફ વગર રહેવું, અન્ય રાજ્યો કરતા સરળ હોવાથી તે સંપર્કથી બહાર ત્યાં રહેતો હતો. કોર્ટે પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે.
Related Articles
નવસારી, વલસાડ સહિત હવે 29 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા. જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે […]
ધો. 10ની પરીક્ષા રદ : બોર્ડમાં પ્રથમવાર માસ પ્રમોશન
કોરોનાની બીજી લહેરમાં અતિસંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ કર્યા બાદ અંતે ગુજરાત સરકારે પણ ધો.10ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. નિયમિત રીતે માર્ચમા લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકૂળ કરી 10મીમેથી લેવાનુ જાહેર કરાયુ હતું અને કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતા સરકારે 10મી મેથી લેવનારી પરીક્ષા […]
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની દિશામાં ગુજરાતનું મહ્તવપૂર્ણ પગલું
ગુજરાતમાં આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે એમ.ઓ.યુ. કરાયા હતાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વની ઘટનાના સહભાગી થવા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ગુજરાત […]