બારડોલી તાલુકાનાં કડોદ ગામે આવેલા સોની ફળિયામાં રાત્રિના સમયે અચાનક બે માળનું મકાન ધરાશાયી થયું હતું. અંદર ગ્રાઉંડ રોડના લેવલથી 15 ફૂટ ઊંડું ખોદકામ કરતાં મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળે છે. આ દુર્ઘટનામાં પરિવારના પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો છે.કડોદ ગામે સોની ફળિયામાં રહેતા દિલિપભાઈ હીરાલાલ શાહના પુત્ર રાજુભાઇ શાહના ઘરની બાજુમાં અંદર ગ્રાઉંડ રોડના લેવલથી 15 ફૂટ જેટલું ઊંડું જેસીબીથી ખોદકામ કરાતા સોમવારની રાત્રિના 8 વાગ્યાની આસપાસ બે માળનું મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળે છે. રાજુભાઇ શાહે ગ્રામપંચાયતના તલાટીને લેખિતમાં જણાવ્યું હતું કે વૈષ્ણવ સમાજની વાડી બનાવવામાં આવી રહી છે. જે રોડ લેવલથી 10 થી 15 ફૂટ નીચે સુધી જેસીબીથી ખોદકામ કરવામાં આવશે તો અમારા પાકા મકાનો તૂટી જવાની સંભાવના છે. પરંતુ સમાજના પ્રમુખ ભરતભાઇએ કોઇની પણ વાત સાંભળ્યા વગર રોડ લેવલથી 15 ફૂટ જેટલું ખોદકામ કરાવતા મકાન ધરાશાયી થતાં ઘરમાં રહેલ 2 ટીવી, 2 ફ્રીઝ, 2 એ.સી., ડાઈનિંગ ટેબલ તેમજ ઘરવખરી સહિતથી માંડી અનેક વસ્તુ મળી અંદાજે રૂા.30 લાખનું નુકસાન થયું છે. કડોદમાં ભૂકંપ આવ્યો હોય તેમ મકાન ધરાશાયી થતાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં પરિવારના પાંચ સભ્યોનો બચાવ થયો હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ કડોદ આઉટ પોસ્ટના જમાદાર, જી.ઇ.બી. સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો. આ ઘટનામાં રાજુભાઇ શાહે જણાવ્યુ હતું કે અમે જમવા બેસવાની તૈયારી હતી. પરંતુ ભૂકંપ જેવો આંચકો આવતા અમારા પરિવારના સભ્યોનો બચાવ થયો હતો. વૈષ્ણવ સમાજના ભરતભાઇ, ધનસુખભાઈ, દિપકભાઈ, રાજુભાઇએ ઘટના સ્થળની મુલાકાત લઈ જણાવ્યુ હતું કે આ મકાન તૂટી ગયું છે તેનું દુ:ખ છે. જે ખર્ચ થશે તે આપવા માટે તૈયારી બતાવી હતી. હાલમાં બંને પક્ષ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા ગામના આગેવાનો સાથે ચાલી રહી હોવાનું જાણવા મળે છે. હાલ કોઈ ફરિયાદ કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Related Articles
માંડવીના તડકેશ્વર દૂધ ઉત્પાદક મંડળીની વાર્ષિક સભા મળી
માંડવીના તડકેશ્વર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 44મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મંડળીના વાર્ષિક હિસાબ મંત્રી રોમિલ આહિર અને પ્રમુખ ભરતભાઈ પટેલે રજૂ કર્યો હતો. જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. આ મંડળી દર વર્ષે 6 કરોડનો વહીવટ ધરાવે છે અને કુલ સભાસદો 300 કરતા વધુ છે. તેમજ આ દૂધમંડળી પ્રમુખ-મંત્રી અને સભાસદો […]
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બંધની વ્યાપક અસર જોવા મળી
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ત્રણ કૃષિ કાયદા સામે સોમવારે સંયુક્ત કિસાન મોરચાએ ભારત બંધનું એલાન કર્યું હતું. આથી વાંકલ અને કેવડી બજાર સવારે બે કલાક બંધ રહ્યું હતું. જેમાં કોંગ્રસ અને આપ બંધના એલાનમાં જોડાઈ હતી. માંગરોળ કોંગ્રેસના દસ કાર્યકર્તાને પોલીસે ડિટેઇન કરાયા હતા. ત્રણેય કાયદાને લીધે કૃષિક્ષેત્ર કોર્પોરેટ સેક્ટર હાથમાં જઈ રહ્યો છે. ગુજરાતમાં […]
બારડોલી તાજપોર રોડ પરથી બાયો ડિઝલ ઝડપાયું
બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં આવેલી અમીધારા રાઈસમિલના કમ્પાઉન્ડમાંથી સુરત જિલ્લા એલ.સી.બી.એ શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 13 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમને જિલ્લામાં ગેરકાયદે બાયોડિઝલ વેચવાનો વેપલો અટકાવવા માટે અલગ અલગ વાહનોમાં બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં […]