કોરોના કાળને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ગઈકાલે હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટસ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપ્યા બાદ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આવા સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
Related Articles
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, ધોરાજીમાં 6 ઇંચ
બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમ્યાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 40 લાખ હેકટરમાં ખરીફ મોસમનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં હતા.આજે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 72 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને રાજકોટના […]
સાયણવાલાના રાજા, જે કે નગર દ્વારા તિરુપતિ બાલાજીની થીમ
સુરતના સાયણવાળાના ગણપતિ જે જે કે નગર સોસાયટી ખાતે આવેલા છે તેમના દ્વારા તિરૂપતિ બાલાજીની થીમ ઉભી કરવામાં આવી છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ
દક્ષિણ રાજસ્થાન ઉપર રહેલી અપર એર સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેના પગલે ઉનાળુ પાકને અને કેરીના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. […]