પાલના મણીધારી લક્ઝરીયા કોમ્પ્લેક્ષમાં રહેતા હીરા દલાલના ઘરમાં ઘુસી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી દલાલ અને તેના પુત્રને માર મારનાર વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનો વ્યવસાય કરતા પરેશ ડાહ્યાભાઇ શાહ (ઉ.વ. 45 હાલ રહે. બી/104, મણીધારી લક્ઝરીયા, નિશાલ સર્કલ નજીક, પાલ અને મૂળ રહે. સતલાસણા, તા. ખેરાલું, જિ. મહેસાણા) એ પાંચેક વર્ષ અગાઉ હીરાના વેપારની સાથે ફાઇનાન્સનું કામ કરતા સંદીપ શાહ (રહે. ચંદનવન એપાર્ટમેન્ટ, કૈલાશનગર, મજૂરા ગેટ) પાસેથી 5 ટકાના દરે 90 હજાર વ્યાજે લીધા હતા. પરેશે વ્યાજ સહિત 90 હજાર રૂપિયા બે વર્ષ અગાઉ ચુકવી દીધા હતા. પરંતુ છેલ્લા એકાદ મહિનાથી સંદીપે વ્યાજ પેટે બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. દરમિયાનમાં ગત રાત્રે સંદીપે ફોન કરી તેના મિત્ર સાથે ઉઘરાણી માટે પરેશના ઘરે ગયો હતો. પરેશે દરવાજો ખોલતા વેંત સંદીપ અને તેના મિત્રએ પરેશને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. જેથી પુત્ર પ્રિત બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને ધક્કો મારતા દરવાજો પ્રિતની આંખની ઉપરના ભાગે વાગતા લોહી નીકળવા લાગ્યું હતું અને પરેશની પત્ની જીજ્ઞાબેને બુમાબુમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા. જેથી સંદીપ અને તેનો મિત્ર ભાગી ગયા હતા. ઘટના અંગે પરેશ શાહે કંટ્રોલ રૂમમાં ફોન કરતા અડાજણ પોલીસ દોડી આવી હતી. પોલીસે ફાઇનાન્સર સંદીપ શાહ અને તેના મિત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Related Articles
ગુજરાત બોર્ડે ધો. 12ની પરીક્ષા નહીં લેવાનો કર્યો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી […]
ચારેય બાજુ કુનિમિતોનો રાફડો ફાટ્યો છે : પદ્મદર્શન વિજયજી
જૈનોના પર્વાધિરાજ પર્યુષણમાં ત્રીજા દિવસે વેસુના ઓમકારસૂરિઆરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રવચન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ શુદ્વિનું પર્વ છે. માનવ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થવાની પૂરી શક્યતા છે. આપણા આત્મામાં ‘સુ’ અને ‘કુ’ એમ બંને પ્રકારનાં સંસ્કારો અનાદિકાળથી પડ્યાં છે. ક્યારે કયાં સંસ્કારોનો હુમલો થશે તેની ખબર પડતી નથી. બાહ્ય નિમિત્તો […]
રાજ્યમાં એક પણ દર્દી રેમડેસિવિર વિના નહીં રહે: રૂપાણી
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી. એટલુંજ નહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે બન્ને જિલ્લાઓમાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.રૂપાણીએ જામનગરમાં કહ્યું હતું કે,રાજયમાં એક પણ કોરોનાના દર્દી રેમડેસિવિર વિના ના રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રી […]