ગુજરાતમાં કોરોનાનું આક્રમણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે- 2021માં લેવાનારી ધોરણ 1૦ અને 12 બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લીધે ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવા માટે વાલીઓ અને શાળા સંચાલકો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ગુરૂવારે શિક્ષણ વિભાગની મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે, તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વધુમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ હવે પછી ક્યારે યોજવી તે અંગે આગામી 15મી મેના રોજ શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, અને ત્યારબાદ નવી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. પરીક્ષાની તારીખો જાહેર કરાવતા પહેલા વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય પણ આપવામાં આવશે, તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 1 થી 12ના વર્ગોમાં પ્રત્યેક્ષ શિક્ષણ એટલે કે વર્ગખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Related Articles
ધરમપુર – બારડોલીના વિકાસ નકશા મંજૂર
રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફિકેશનને મંજૂરી આપી છે તેમાં મહેસાણા, બારડોલી અને ધરમપુરનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના મહત્વના શહેર મહેસાણાના છેલ્લા બે દશકમાં થયેલા […]
3જી મે સુધી શાળાઓમાં ઉનાળું વેકેશન
રાજયમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે જેના પગલે રાજય સરકાર દ્વારા 3જી મે થી તમામ શાળાઓ માટે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવાયું છે. ગાંધીનગરમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ રાજયમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા હવે તા.3જી મેથી તા.6 ઠ્ઠી જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે. તે પછી વર્ષ 2021-22નું નવુ શૈક્ષણિક વર્ષ […]
વડોદરાના કુંભારવાડા યુવક મંડળના બર્ફિલા પહાડની થીમ
વડોદરાના પાણીગેટ સ્થિત કુંભારવાડા સ્થિત કુંભારવાડા યુવક મંડળ દ્વારા હિમાલયની પર્વતમાળા બનાવી તેમાં ગણનાયકને બિરાજમાન કરાવવામાં આવ્યાં છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)