રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1,681 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18 દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,833 થયો છે. બીજી તરફ આજે 4,721 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 1, વડોદરા શહેરમાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર શહેરમાં 1, મહેસાણામાં, સુરત ગ્રામ્યમાં 1, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર ગ્રામ્ય, ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 18 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 264, સુરત શહેરમાં 155, વડોદરા શહેરમાં 212, રાજકોટ શહેરમાં 82, ભાવનગર શહેરમાં 12, ગાંધીનગર શહેરમાં 12, જામનગર શહેરમાં 43 અને જૂનાગઢ શહેરમાં 18 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 62, જામનગર ગ્રામ્ય 43, વલસાડ 32, મહેસાણા 17, વડોદરા ગ્રામ્ય 115, બનાસકાંઠામાં 30, અમરેલીમાં 28, આણંદમાં 36 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 32,345 વેન્ટિલેટર ઉપર 496 અને 31,849 દર્દીઓ સ્ટેબલ છે. આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,12,381. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 54,406 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 25,758, હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 4,701, અને બીજો ડોઝ 3,071 આમ આજના દિવસમાં 2,00,317 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,70,94,620 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Related Articles
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની દિશામાં ગુજરાતનું મહ્તવપૂર્ણ પગલું
ગુજરાતમાં આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે એમ.ઓ.યુ. કરાયા હતાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વની ઘટનાના સહભાગી થવા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ગુજરાત […]
સિદ્ધિ વિનાયક રેસિડેન્સી, ગોપીપુરામાં ચિરાગ માસ્તરના ટેમ્પલ થીમ શ્રીજી
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક રેસિડેન્સીમાં ચિરાગ માસ્તરે ખૂબ જ મહેનતથી ગણપતિનું મયુરાસન તેમજ ઘંટની ડિઝાઇન દ્વારા ખૂબ જ આકર્ષક ડેકોરેશન કર્યું છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
વડોદરા પ્રગતિ મંડળના રાજસ્તંભના વિઘ્નહર્તા
વડોદરાના નવાપુરા સ્થિત પોલો ગ્રાઉન્ડની સામેની રાજસ્તંભ સોસાયટીના પ્રગતિ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. (free entry)(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.