સોમવારે રાજ્યમાં કોરોનાના વધુ 1681 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1,681 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18 દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,833 થયો છે. બીજી તરફ આજે 4,721 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 1, વડોદરા શહેરમાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર શહેરમાં 1, મહેસાણામાં, સુરત ગ્રામ્યમાં 1, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર ગ્રામ્ય, ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 18 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 264, સુરત શહેરમાં 155, વડોદરા શહેરમાં 212, રાજકોટ શહેરમાં 82, ભાવનગર શહેરમાં 12, ગાંધીનગર શહેરમાં 12, જામનગર શહેરમાં 43 અને જૂનાગઢ શહેરમાં 18 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 62, જામનગર ગ્રામ્ય 43, વલસાડ 32, મહેસાણા 17, વડોદરા ગ્રામ્ય 115, બનાસકાંઠામાં 30, અમરેલીમાં 28, આણંદમાં 36 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 32,345 વેન્ટિલેટર ઉપર 496 અને 31,849 દર્દીઓ સ્ટેબલ છે. આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,12,381. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 54,406 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 25,758, હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 4,701, અને બીજો ડોઝ 3,071 આમ આજના દિવસમાં 2,00,317 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,70,94,620 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *