ગુજરાત વિધાનસભાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાયા બાદ રવિવારે થયેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો ૪૫૪૩૨ મતોથી વિજય થયો હતો. ગાંધીનગરમાં ચૂટણી પંચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે મોરવા હડફ બેઠક ર ભાજપના નિમિષાબેન સુથારને ૬૭૧૦૧ મતો મળ્યા હતા. જ્યારે કોંગીના સુરેશ કટારાને ૨૧૬૬૯ મતો મળ્યા હતા. જેના પગલે કટારાએ પોતાની હાર સ્વીકારી લીધી હતી. ગત તા.૧૭મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. આ બેઠક માટે ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જેમાં ૪૨.૬૦ ટકા મતદાન થયું હતું.૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર ખાંટનો વિજય થયો હતો. જો કે તેમનું આદિવાસી તરીકેનું પ્રમાણ પત્ર પડકારવામાં આવ્યુ હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તેમનું આદિવાસી તરીકેનું પ્રમાણ પત્ર રદ કરાયું હતું. અલબત્ત બિમારીના કારણે જાન્યુ. ૨૦૨૧માં ખાંટનું નિધન થયું હતું. જેના પગલે આ બેઠક ખાલી થવા પામી હતી. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારના વિજય અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રજાકિય કાર્યો તેમજ ગુજરાતન વિકાસની યાત્રામાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહન પ્રદાનના પગલે ફરીથી મતદારોએ ભાજપમાં વિશ્વાસ વ્યકત્ત કર્યો છે. તેવી જ રીતે વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારે પ્રહિતના નિર્ણયો લીધા છે.
Related Articles
જળવાયું પ્રદૂષણ માટે ભાજપ જ જવાબદાર : કોંગ્રેસ
પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વ્હિકલ પૉલીસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે.” ત્યારે જળ-વાયુ પ્રદૂષણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે. જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે સ્ક્રેપ પૉલીસી […]
રામપુરામાં ગેંગવોરમાં વલીઉલ્લાના પુત્ર પર હુમલો
રામપુરામાં મોડી રાત્રે મોસીન કાલીયા અને વલીઉલ્લાના પુત્રની વચ્ચે ગેંગવોર થઇ હતી. દારૂ અને જુગારના ધંધાની હરીફાઇમાં આ હુમલો કરાયો હોવાની માહિતી મળી છે, પરંતુ આ બાબતે પોલીસે મૌન પાળ્યુ હતુ. મોસીન કાલીયાએ પોતાના સાગરીતો સાથે મળીને વલીઉલ્લાના ભાઇ ઉપર હુમલો કર્યો હતો અને તલવારથી તોડફોડ પણ કરતા મામલો તંગ બની ગયો હતો. આ બાબતે […]
રાજ્યમાં મંગળવારે કોરોનાના 3794 કેસ નોંધાયા
રાજયમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં છે. હાલમાં રાજયમાં ૭૫,૧૩૪ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૭૪,૪૮૨ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજયના […]