ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે ચોમાસુ ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે બેસી જશે. તાઉતે વાવાઝોડાના કારણે દક્ષિણ – પશ્વિમ ચોમાસાનો કરંટ તૂટયો નથી એટલે કે તેને બ્રેક લાગી નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અરબી સમુદ્રમાં અલ નીનો કે લા નીનોની કોઈ અર જોવા મળશે નહીં, એટલે કે દેશના મોટા ભાગના પ્રદેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. હાલમાં ચોમાસાની સિસ્ટમનો કરંટ આંદામાન – નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયો છે. રવિવારે અહીં હળવો વરસાદ થવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ ઉપરાંત ખાનગી વેધર ફોરકાસ્ટ કરતાં ગ્રુપ સ્કાયમેટ દ્વ્રારા પણ ચોમાસુ ૧૦૩ ટકા રહેશે તેમ જણાવ્યું છે.હવામાન વિભાગના અંદાજ પ્રમાણે દેશમાં ૯૬થી ૯૮ ટકા વરસાદ રહેશે.
Related Articles
રાજ્યમાં કોરોના વિક્રમજનક નવા 6021 કેસ : 55ના મોત
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. તેની સાથે મૃત્યઆંકમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા વિક્રમજનક 6021 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ 55 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં સોમવારે સુરત મનપામાં 18, અમદાવાદ મનપામાં 20, વડોદરા મનપામાં 7, રાજકોટ મનપામાં 4, […]
સુરતના પનાસ ચા મહારાજા
સુરત ખાતે આવેલા પનાસ ગામમાં જેબીએફસી ગ્રુપ દ્વારા પનાસ ગામમાં પનાસ ચા મહારાજાના નામથી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.(ફ્રી એન્ટ્રી) (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ગણપતિ સ્પર્ધામાં હજી એન્ટ્રી લેવામાં આવી રહી છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે વ્યક્તિગત નામ, મંડળ હોય તો તેનું નામ, સરનામું, ગણપતિનો ફોટો, થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી […]
સુરતમાં વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પ
કોરોના મહામારીનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્પાપાર, ધંધા, વ્યવસાય કે અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોને રસીકરણના છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે આજરોજ રવિવારના દિવસે સુરત મહાનગરપાલિકા અને જિલ્લામાં ખાસ વેક્સિનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્ષટાઈલ, વાણિજ્યિક સંસ્થાઓ, જીમ, કોચિંગ સેન્ટર્સ સાથે સંકળાયેલ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લીધી […]