રાજયમાં પોલીસ દ્વ્રારા જે લોકો કોરોના મહામારીમાં માસ્ક નથી પહેરતા તેવા લોકો પાસેથી દંડ લેવાશે, તે સિવાયનો કોઈ દંડ પોલીસ દ્વારા લેવાશે નહીં . ટ્રાફિક પોલીસ દ્વ્રારા બને ત્યાં સુધી વાહનો પણ ડિટેઈન કરવા નહીં , કારણ કે વાહનો છોડાવવા માટે આરટીઓ કે નક્કી કરેલા પોઈન્ટ પરથી વાહનો છોડાવવા માટે ભીડ એકત્ર થાય છે, જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી જવાની સંભાવના રહેલી છે. આજે ગાંધીનગરમાં કેબીનેટ બેઠક સીએમ વિજય રૂપાણીએ વાહનવ્યવહાર મંત્રીને સૂચના આપી છે કે રાજયમાં હવેથી પોલીસ દ્વ્રારા જે લોકો નાસ્ક ન પહેરતાં હોય તેની પાસેથી જ દંડ વસીલ કરશે , તે સિવાયની ટ્રાફિકના નિયમ ભંગની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવી નહીં . એટલુ જ નહીં ટ્રાફિકના નિયમ ભંગ બદલ વાહનો પણ ડિટેઈન કરવાનું ટાળવુ તેવી પણ સૂચના અપાઈ છે.
Related Articles
વીસકોસ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નહીં લાદવા નિર્ણય
ડિરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ, ભારત સરકારમાં એસોસિએશન ઓફ મેઇન મેડ ફાયબર ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા દ્વારા ચાઇનાથી આયાત થતા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર એન્ટી સબસિડી ડ્યૂટી લાદવા માટે અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં તા. ર૦ જુલાઇ ર૦ર૦ના રોજથી ડીજીટીઆર દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ૮પ ટકા જેટલો વપરાશ […]
50 ટકા હાજરી સાથે ધોરણ 12ના વર્ગો શરૂ થશે
રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલીટેકનિક સંસ્થાનો અને કોલેજ ૫૦ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે, તેવો મુખ્યમંત્રીની અધ્યક્ષતા મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. ધોરણ 12 અને કોલેજ તથા પોલિટેક્નીકના વિદ્યાર્થીઓને પસંદગી આપવામાં આવી છે. તેઓ ઇચ્છે તો શાળા -કોલેજમાં જઇ શકશે, તે માટે વિદ્યાર્થીના વાલીનું […]
ગુજરાતના સાડા ત્રણ કરોડ લોકોને વિના મૂલ્યે અન્ન વિતરણનો પ્રારંભ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી આરંભ થયો હતો. અન્ન વિતરણ કાર્યક્રમમાં વચ્યુઅલ રીતે સહભાગી થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે. રાજ્યના પાંચ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ ઇ-સંવાદ પણ […]