ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાનખેડે ખાતે કુલ 19 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સ છે, જેમનો ગયા અઠવાડિયે RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાંથી 26 માર્ચના રોજ 3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 1 એપ્રિલે અન્ય 5 પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. વાનખેડે ખાતે 10થી 25 એપ્રિલ દરમિયાન કુલ 10 લીગ મેચીસ રમાવાની છે.
Related Articles
અઢી વર્ષ પછી અયોધ્યાનું રામમંદિર ભક્તો માટે ખૂલ્લુ મૂકાશે
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું છે. તેમજ વર્ષ 2023ના અંત સુધીમાં ભક્તોને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. એમ રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. પરંતુ, સંપૂર્ણ મંદિર સંકુલ વર્ષ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ભવ્ય પ્રોજેક્ટની વિગતો શેર તેઓએ કહ્યું કે, મુખ્ય મંદિર ત્રણ માળનું […]
DRDOએ બનાવી એન્ટિબોડી ટેસ્ટિંગ કિટ, 75 રૂપિયામાં રિપોર્ટ
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ એન્ટિબોડી પરીક્ષણ માટે ડિપ્કોવેન (Dipcovan) કીટ બનાવી છે. DRDOના કહેવા મુજબ આ કીટમાં શરીરમાં સાર્સ-કોવી-2 વાયરસ અને ફાઇટીંગ પ્રોટીન ન્યુક્લિયો કેપ્સિડ (S&N) બંનેની હાજરીની જાણકારી મેળવી શકે છે. તે 97%ની હાઇ સેન્સિટિવિટી અને 99% ની સ્પેસિફિસિટી સાથે માત્ર 75 રૂપિયાના ભાવે 75 મિનિટમાં રિપોર્ટ પણ આપશે.
યુએનમાં ભારતની સ્નેહા દુબેએ ઇમરાન ખાનના ભૂક્કા કાઢી નાંખ્યાં
હાલમાં સંયુક્તર રાષ્ટ્ર સભાનું મહાસંમેલન ચાલી રહ્યું છે અને દુનિયાના 100થી વધુ સૌથી ઉચ્ચ પદ ધરાવતા નેતા ત્યાં પહોંચ્યા છે જેમાં રાષ્ટ્રપતિ, રાષ્ટ્ર પ્રમુખ, વડા પ્રધાન, ચાન્સેલર જેવા પદ ધરાવતા લોકોનોસમાવેશ થાય છે. આ સભામાં ભાગ લેવા પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેન વચ્ચે મુલાકાત થઇ હતી. તાલિબાનના કારણે […]