ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી સ્કૂલ વર્ધી વાહનચાલકો બેકાર બન્યાં છે. આ બેકારીમાં ડ્રાઇવરો અને વાહન સંચાલકો સામેલ છે. બેન્ક હપ્તા નહીં ભરી શકતા હોવાથી ત્રણ હજારથી વધુ વાહન માલિકો અને ડ્રાઇવરોએ તેમના વાહનો વેચી દીધા છે અથવા તો બેન્કે જપ્ત કરી લીધા છે.અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને એક પત્ર લખી કહ્યું છે કે ગુજરાતમાં 80 હજાર કરતાં વધુ વાહનો સ્કૂલ વર્ધીનું કામ કરે છે. બાળકોને સ્કૂલે લઇ જવા અને ઘરે પાછા લાવવાની વર્ધી કરે છે પરંતુ છેલ્લા એક વર્ષથી સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે આ મોટો વર્ગ બેકાર બની ગયો છે.
Related Articles
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ યોજશે વિવનિટ એકઝિબિશન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભારતભરમાં સૌપ્રથમ વખત તા.૧૧થી ૧૩ સપ્ટેમ્બર-ર૦ર૧ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટએક્ઝિબિશન’નું આયોજન કરવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એક્ઝિબિશન’ એ વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેક્ચરર્સનેબીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એક્સક્લુસિવ ફેબ્રિક શો હશે. […]
‘લવ જિહાદ’ વિરોધી ખરડો ગુજરાત વિધાનસભામાં પસાર
ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવા મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ જેહાદના કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિના પરિણામે ઉગામ્યું છે. આ અમારો પોલિટિકલ એજન્ડા નહીં પણ દુરવવ્હાર પ્રત્યે અમારી વ્યથા છે. તેને વ્યવસ્થામાં પરિવર્તિત કરી બહેન-દિકરીઓ સાથે વિશ્વાસઘાત કરી […]
નીલય જરીવાળા 59 લાઇક સાથે પહેલા નંબર ઉપર
અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ સ્પર્ધામાં 59 લાઇક સાથે સુરત સોનીફળિયા નગરશેઠની પોળના નીલય જરીવાલા પહેલા નંબર ઉપર ચાલી રહ્યાં છે. તમારા મિત્રો, સંબંધીઓ અને પડોશીઓને તમારા મંડળની પોસ્ટની વધુમાં વધુ લાઇક કરાવો અને ઇનામના હકદાર બનો.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, […]