વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’નું વાર્ષિક સત્ર 7 એપ્રિલના રોજ નવા વર્ચુઅલ ફોર્મેટમાં યોજાશે. એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેરાત કરી હતી. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આ નવા ફોર્મેટમાં અલગ અલગ વિષયો પરના ઘણા રસપ્રદ પ્રશ્નો અને અમારા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, માતાપિતા અને શિક્ષકો સાથે 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે યાદગાર ચર્ચા કરવામાં આવશે. તેમણે પોતાના ટ્વિટની સાથે આ ઇવેન્ટનો એક વીડિયો પણ ટેગ કર્યો હતો. જેમાં આ વર્ષના ‘પરીક્ષા પે ચર્ચા’ની હાઇલાઇટ્સ વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી હતી. આ વીડિયોમાં મોદીએ કહ્યું કે, આપણે છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમણ હેઠળ જીવી રહ્યા છીએ. જેના કારણે રૂબરૂ મળવું શક્ય નથી માટે ‘પરીક્ષા પે ચર્ચા’ પ્રથમ વખત વર્ચ્યુઅલ યોજાશે. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાઓને જીવનના સપનાના અંત તરીકે નહીં પરંતુ એક તક તરીકે જોવાની વિનંતી કરી છે. મોદી વીડિયોમાં કહે છે કે, વડાપ્રધાન બાળકો સાથે મિત્ર તરીકે વાત કરશે અને વર્ચુઅલ ઇવેન્ટ દરમિયાન શિક્ષકો અને માતા-પિતા સાથે પણ વાતચીત કરશે. વીડિયોમાં વડાપ્રધાને એમ પણ કહ્યું કે, આ ‘પરીક્ષા પે ચર્ચા’ છે. પરંતુ તે માત્ર ‘પરીક્ષા’ અથવા પરીક્ષાની ચર્ચા સુધી મર્યાદિત નથી.
Related Articles
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં છૂટા હાથની મારામારી
પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈઝરે બુધવારે શાસક પક્ષના ત્રણ સભ્યો સહિત સાત સાંસદોના ગૃહમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે, બજેટ પર ચર્ચા દરમિયાન નાણાં અને વિપક્ષી સમિતિના સંસદ સભ્યોએ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને બજેટની નકલો એકબીજા પર ફેંકી હતી. અધ્યક્ષ કૈઝરે કહ્યું કે, નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી નેતા શેહબાઝ શરીફના ભાષણ […]
પીએમ મોદીએ મમતા બેનર્જીને ફોન કરી બંગાળના પૂરની માહિતી મેળવી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી કે, દામોદર વેલી કૉર્પોરેશન (ડીવીસી) કથિત રીતે ડેમમાંથી બિનઆયોજિત રીતે પાણી છોડે છે. જેના કારણે રાજ્યમાં ‘માનવસર્જિત’ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. વડાપ્રધાને બેનર્જીને ફોન કરીને પશ્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાજ્યમાં પરિસ્થિતી સામાન્ય […]
10 જૂલાઇથી ઉત્તર ભારતમાં ચોમાસુ ફરી સક્રિય
દેશમાં વિરામ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું 10 જુલાઈ સુધીમાં દિલ્હી સહિત ઉત્તર ભારતના બાકીના ભાગોમાં ફરી શરૂ થશે અને ફેલાશે. એમ ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) સોમવારે જણાવ્યું હતું.તાજેતરના આંકડાકીય હવામાન આગાહીના મોડેલ મુજબ, 8મી જુલાઈથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ દરિયાકાંઠે અને તેની સાથેના પૂર્વ-મધ્ય ભારત સહિતના દક્ષિણ દ્વીપકલ્પ પર ધીમે ધીમે ફરી શરૂ થવાની સંભાવના છે. […]