નુતલપતિ વેંકટ રમણ 48માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિથી મંજૂરી મળ્યા બાદ જસ્ટિસ રમણ હવે 24 એપ્રિલે શપથ લેશે. તેઓ હાલના CJI એસએ બોબડે બાદ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે. CJI બોબડેએ જસ્ટિસ રમણના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના છે. નિયમ મુજબ, CJIએ પોતાની નિવૃત્તિના એક મહીના પહેલા નવા ચીફ જસ્ટિસના નામનો પ્રસ્તાવ કાયદા મંત્રાલયને મોકલવાનો હોય છે. ત્યાથી મંજૂરી મળ્યા બાદ તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.
Related Articles
ભારતમાં ધરતીને માતાનો દરજ્જો આપવામાં આવે છે : પીએમ મોદી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં એક હાઇ લેવલ મિટિંગને સંબોધિત કરી હતી. તેમણે આ સંબોધન વર્ચ્યુઅલ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતમાં જમીનને હંમેશા ખૂબ જ મહત્વ આપવામાં આવે છે એટલું જ નહીં ભારતના લોકો ધરતીને પણ માતા ગણે છે પરંતુ આજે ધરતી પર જુદા જુદા સંશોધનોનું ભારે દબાણ છે તેને […]
જયપુરની હોસ્પિટલમાંથી કોવેક્સિનના 320 ડોઝની ચોરી
રાજસ્થાનમાં કોરોના વેક્સિનની કારમી અછત વચ્ચે વેક્સિનની ચોરી થયાની ઘટના સામે આવી છે. જયપુરના શાસ્ત્રીનગરમાં આવેલી કાવંટિયા હોસ્પિટલમાંથી આશરે 320 ડોઝની 32 જેટલી વોયલ ચોરી થઈ ગઈ છે. એક વોયલમાં દસ ડોઝ આવે છે. આ ઘટનામાં કાંવટિયા હોસ્પિટલના મેલ નર્સે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
રાકેશ ટિકેત સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું સરકાર ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચે
ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકેત બુધવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. આ બંને વચ્ચેની મુલાકાતનું ખૂબ જ રાજકીય મહત્વ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત કોલકાત્તામાં થશે અને આ મુલાકાત દરમિયાન કિસાન આંદોલનને વધુ જલદ બનાવવા પર તેમજ કેન્દ્ર સરકારને ઘેરવાની નિતી પણ બંને વચ્ચે ચર્ચા થાય તેવી સંભાવના […]