ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી પણ વધુનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનનો અંદાજ વધી પણ શકે છે. રાજય સરકારના મહેસૂલ, કૃષિ અને ઊર્જા વિભાગ દ્વારા આ નુકસાનનો અંદાજ મેળવવા માટે આગામી ૧૦થી ૧૫ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતને ઉનાળુ પાક તેમજ બાગાતી પાકને ભારે નુકસાન થયુ છે. તેનો સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારે ઘડેલા નિયમો મુજબ ખેડૂતોને સહાય ચૂકવાશે. કૃષિ ક્ષેત્રને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે સર્વે કરવા જિલ્લા કલેક્ટરોને ચૂચના પણ આપી દેવાઈ છે. ઊર્જા વિભાગ પણ વીજ ક્ષેત્રને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા સર્વે કરશે. પ્રાથમિક અંદાજ પ્રમાણે વાવાઝોડાના કારણે ૫૦૦૦ કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે અને આ આંક વધી પણ શકે છે. ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કાચા – પાક મકાનો – ઝૂંપડા મોટા પ્રમાણમાં તૂટી પડયાં છે. તેવી જ રીતે ખેડૂતોના ઉનાળું પાક નષ્ટ થયો છે. આ ઉપરાંત ગીર, તાલાલા, રાજુલા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને 60થી 90 ટકા નુકસાન થયું છે. આ ઉપરાંત નાળિયેરી અને કેળને પણ નુકસાન થવા પામ્યુ છે.સૌરાષ્ટ્રમાં ૧૩ હજાર કરતાં વધુ હેકટરમાં કેરીના પાકને નુકસાન થવાનો અંદાજ છે. કેટલાંક સ્થાનો પર તો આખે આખા આંબા જ ઉખડી ગયા છે. જેના પગલે આગામી ૩થી ૪ વર્ષ માટે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ દુનિયામાં જાણતી આફૂસ કેરી પકવતા ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે. કૃષિ ક્ષેત્રને રાજયમાં ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડથી વધુ નુકસાન થયાનો અંદાજ છે. ઊર્જા સેકટરને પણ અંદાજિત ૧૫૦૦ કરોડનુ નુકસાન થયુ છે. માર્ગ અને મકાન વિભાગને પણ ૧૦૦ કરોડથી વધુનું નુકાસન થયાનો અંદાજ છે.અન્ય ક્ષેત્રને પણ ૩૫૦થી૪૦૦ કરોડનુ નુકસાન થયુ છે.ગીર સોમનાથ , ભાવનગર અને અમરેલીમાં માછીમારોને પણ મોટુ નુકસાન થવા પામ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતને આંતરમાળખાકિય સુવિધાઓ ત્વરીત ઊભી કરવા માટે ૧૦૦૦ કરોડની સહાયની જાહેરત કરી છે. જો કે નુકસાનનો અંદાજ મેળવવા માટે કેન્દ્ર તરફથી ગુજરાતમાં ટીમ મોકલવામા આવશે.
Related Articles
સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ, ઓલપાડમાં ચાર ઇંચ
છેલ્લા સતત ત્રણ દિવસ જૂનાગઢ, જામનગર અને રાજકોટને ધમરોળ્યા બાદ હવે આજે વરસાદનું જોર ઘટવા સાથે એકલા સુરત જિલ્લામાં તેનું જોર જોવા મળ્યુ હતું. આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજયમાં સુરતના ઓલપાડમાં 4 ઈંચ વરસાદ થયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ જામનગર , રાજકોટ અને જુનાગઢમાં ખેતીને ભારે નુકાસન થવા પામ્યુ છે. અહીં પૂરના કારણો […]
ડાંગની એકલવ્ય સ્કૂલમાં ધો. 11ના માત્ર 30 વિદ્યાર્થી
ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની. ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની […]
સીઆર પાટીલ અચાનક જ હાઇકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા
ગઈકાલે મંગળવારે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ સાથે સરકીટ હાઉસમાં મહત્વની બેઠકના દોર બાદ ગઈ રાત્રે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવી દિલ્હી પહોંચ્યા છે. પાટીલ દિલ્હીમાં બે દિવસના રોકાણ દરમ્યાન ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. પાટીલની દિલ્હી મુલાકાતના પગલે ગાંધીનગરમાં ફરીથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે. જો કે અમીત શાહની […]